10 સરકારી બૅન્કોનું વિલીનીકરણ, જાણો ગ્રાહકો પર શું અસર પડશે

|

Aug 31, 2019 | 3:50 AM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે એક સાથે ઘણી સરકારી બેંકોનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી. તેમને જણાવ્યું કે વિલીનીકરણ પછી સરકારી બૅન્કોની સંખ્યા 27થી ઘટીને 12 થશે. સરકારી બૅન્કોના આ વિલીનીકરણની અસર તે લોકો પર પડવાની સંભાવના છે, જેમનું બચત ખાતુ કે FD તે બૅન્કોમાં છે. પહેલા પણ 6 નાના સરકારી બૅન્કોનું ભારતીય સ્ટેટ બૅન્કમાં તથા […]

10 સરકારી બૅન્કોનું વિલીનીકરણ, જાણો ગ્રાહકો પર શું અસર પડશે

Follow us on

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે એક સાથે ઘણી સરકારી બેંકોનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી. તેમને જણાવ્યું કે વિલીનીકરણ પછી સરકારી બૅન્કોની સંખ્યા 27થી ઘટીને 12 થશે.

સરકારી બૅન્કોના આ વિલીનીકરણની અસર તે લોકો પર પડવાની સંભાવના છે, જેમનું બચત ખાતુ કે FD તે બૅન્કોમાં છે. પહેલા પણ 6 નાના સરકારી બૅન્કોનું ભારતીય સ્ટેટ બૅન્કમાં તથા વિજયા બૅન્ક અને દેના બૅન્કનું બૅન્ક ઓફ બરોડામાં વિલીનીકરણ થઈ ચૂક્યુ છે. આ પ્રકારે ભારતીય સ્ટેટ બૅન્ક અને બૅન્ક ઓફ બરોડાના મર્જર પછી 10 સરકારી બૅન્કોમાં ફેરવાઈ ગઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમારી પર પડી શકે છે આ અસર

1. અલગ અલગ બૅન્કોની વિલીનીકરણ પછી તમારે તમારી ચેક બુક બદલવા માટે તૈયાર રહેવુ પડશે. હાલમાં ચેક બુક થોડા સમય માટે માન્ય રહેશે પણ વિલીનીકરણ પછી નવી બૅન્કોની સાથે તમારે તમારી ચેક બુક રિપ્લેસ કરાવવી પડશે.

2. તમારા બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ અલગ અલગ ટ્રાન્ઝેક્શન માટે જેવા કે ECS,સેલરીનું ઓટો ક્રેડિટ, બિલ ઓટો ડેબિટ માટે આપી ચૂક્યા હશો. બેન્કોના વિલીનીકરણ પછી તમારા બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ બદલાઈ જશે. ત્યારે તમારે આ અપડેટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. આ બેન્કોથી લોન લેનારા ગ્રાહકો માટે વ્યાજદરમાં શું ફેરફાર થશે, તે હાલમાં જાણવામાં મળ્યુ નથી, કારણ કે દરેક બેન્કના MCLR રેટ અલગ અલગ છે.

4. વિલીનીકરણ થનારી બેન્કોના ક્રેડિટ/ડેબિટ કાર્ડને જે બેન્કમાં મર્જ કરવામાં આવે છે. તેમાં ફેરફાર કરવો પડશે પણ મર્જ થશે ત્યાં સુધી તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડ માન્ય રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. તમે બેન્કમાં કરેલી FD અને RDના પેપર સંભાળીને રાખવા જોઈએ, કારણ કે તમારે આ વિલીનીકરણ કરેલી બેન્કમાં ટ્રાન્સફર કરાવવું પડશે.

વિલીનીકરણની જાહેરાત દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પહેલાની જેમ જ પોતાનું કામકાજ કરતા રહેશે. ત્યારે ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, યૂકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્કના કામકાજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહી થાય.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article