MEIL જમ્મુ કાશ્મીર લદ્દાખનાં હિમાલય ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતી જોજીલા પાસ સુરંગમાં L-1 બની ગયો છે. રાષ્ટ્રીય રાજમાર્ગ અને ઔદ્યોગિક વિકાસ નિગમની સરખામણીમાં MEIL- મેઘા એન્જીનિયરીંગ એન્ડ ઈનફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તમામની ઉપર રહ્યું અને લગભગ 33 કિલોમીટરનાં બે ભાગમાં 2 ડિવિઝનમાં આ પરિયોજના છે. ફર્સ્ટ સેક્શનમાં 18.50 કિલોમીટર નો પ્રથમ રોડ બનાવવામાં આવશે.
બીજા સેક્શનમાં જોઝીલા ટનલનું નિર્માણ કરવામાં આવશે કે જે જન્માક્ષર આકારનો હશે કે જે 14.15 કિમિ ટુ લેન રોડ હશે, 9.5 કિમિ પહોળો હશે અને 7.57 મીટર ઉંચો રહેશે. આ પરિયોજનાને સૌથી મહત્વપૂર્ણ પરિસ્થિતિમાં નવીન રૂપથી આગળ વધારવાનું રહેશે. ભારત સરકારે આખરે આ યોજના કે જે ઘણાં લાંબા સમયથી પાછી ઠેલાઈ રહી હતી તેને શરૂ કરવાનો નિર્ણય લીધો. આમાં જોજીલા સુરંગ માટે 14.15 કિમિ સડક નિર્માણ માટે પણ આહ્વાન કરવામાં આવ્યું. આર્થિક રીતે આ યોજનાને પૂર્ણ કરવા માટે MEIL આગળ આવ્યું 4509.50 કરોડ પર કે જ્યારે કે બીજી અન્ય કંપનીઓએ વધારે રકમ ભરી હતી. અન્ય બે કંપનીની તુલનામાં ઓછી રકમમાં MEIL L-1નાં રૂપમાં સૌથી વધારે ઉપર છે. 30 જુલાઈએ ત્રણ કંપનીઓએ આ અંગે બોલી લગાવી હતી.
લદ્દાખ-શ્રીનગર હાઈવે છ મહિના માટે પુરી રીતે બંધ છે અને આ રસ્તો આખા વર્ષ દરમિયાન આવનજાવન માટે યોગ્ય નથી. ત્યાં સુધી કે સેનાનાં વાહનો પણ આવનજાવન કરી શકતા નથી. હવે અગર તેમે લાંબો રસ્તો પકડો ચો તો તે ખર્ચાળ સાબિત થઈ શકે છે સાથે સમયની બર્બાદી પણ બની શકે છે.આવી પરિસ્થિતિમાં સડક, સુરંગનો પ્રસ્તાવ સોનમર્ગથી લેહ અને લદ્દાખ વચ્ચે કારગિલથી થઈને પાછો જવાનો હતો. અંતમાં પરિયોજના શરૂ થઈ કે જે MEIL-L-1 પરિયોજના બની ગઈ. જોઝીલા પાસ ક્ષેત્રમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-1 પર સોનમર્ગ-કારગીલ વચ્ચે Z-MORH સુરંગથી જોઝીલા સુધી સુરંગ બનાવાશે.
આ ઈપીસી પરિયોજના સૌથી વધારે જટીલ છે, આ સુરંગનાં નિર્માણથી અભૂતપૂર્વ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સુરંગને આશરે 700 મીટર નીચે બનાવવામાં આવશે. આ પરિયોજના સૌથી વધારે જટીલ પહાડી વિસ્તારોમાં થાય છે અને ત્યાં બરફનો વરસાદ પણ થતો રહેે છે અને એક વર્ષમાં ઓછામાં ઓછા 8 મહિના તો આવી જ સ્થિતિ રહે છે એવામાં બાંધકામનું કામ આસાન નથી રહેતું, સાથે જ પ્રસ્તાવિત જગ્યાએથી એક નદી પણ વહે છે જેથી બરફ અને પાણી એક સાથે વહે છે તે પણ ગંભીર સમસ્યા બની શકે છે.
સીમા સડક સંગઠને કાશ્મીરથી લદ્દાખ વચ્ચે તમામ યાત્રીઓ માટે સડક યાત્રા સુવિધાઓના સુધાર માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાનાં હિસ્સાનાં રૂપમાં શ્રીનગરથી બાલતાલ સુધી એક રાજમાર્ગ સુરંગનું પણ નિર્માણ થશે. આ સુરંગ માર્ગ અમરનાથ યાત્રા તીર્થયાત્રીઓ માટે પણ ,સુવિધાજનક રહેશે.કારગીલ પાસે બાલતાલ બેઝ કેંપનો ઉપયોગ અમરનાથ યાત્રા માટે કરવામાં આવશે. MEILનાં નિદેશક, સુબૈયાજીનાં જણાવ્યા પ્રમાણે ટુ લાઈન સડકને જોજીલા માર્ગ પર બનાવવાની હશે જેને સિંગલ ટ્યૂબ ટનલ કહેવાય છે.
સડકનાં મુખ્ય રૂપમાં શોપ્ટ સાથે પોર્ટલ સંરચના અને ખોદાણ વાળા ક્ષેત્ર સામેલ છે અને તેને 72 મહિનામાં પુરૂ કરવાનું રહેશે. આ પુરી પરિયોજનાને બે ભાગમાં બનાવવામાં આવશે. પ્રથમ હિસ્સામાં 18.50 કિલોમીટરની લાંબી સડક અને બીજા હિસ્સામાં સુરંગનાં રૂપમાં 14.15 કિલોમીટર રહેશે. શ્રી સુબૈયાજીનાં જણાવ્યા અનુસાર લગભગ 10 કિલોમીટરના અંતર માટે MEIL દ્વારા માટી અને વિવિધ સંરચનાનું નિર્માણ કરવામાં આવશે. કૈચ ડેમ,એર બ્લાસ્ટ , પ્રોટેક્શન વોલ અને ડિફ્લેક્ટર ડેમનું નિર્માણ લગભગ 6 કિલોમીટરનાં અંતર પર બરફનાં તોફાનની બીક વગર કરી શકાશે…
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:42 pm, Fri, 21 August 20