AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: મણિપુરના બિષ્ણુપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા, પોલીસ તપાસમાં લાગી

મણિપુરમાં સ્થિતિ હજુ કાબુમાં નથી. અહીં બિષ્ણુપુર જિલ્લામાં, બદમાશોએ પોલીસ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો. બદમાશો અને જવાનો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા બે ડઝન સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.

Manipur Violence: મણિપુરના બિષ્ણુપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા, પોલીસ તપાસમાં લાગી
Manipur Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 9:04 AM
Share

મણિપુરમાં ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. મેઈતેઈ અને કુકી સમુદાયના લોકો એકબીજા સામે હિંસક બની ગયા છે. આ દરમિયાન બિષ્ણુપુરમાં મોડી રાત્રે એક જ પરિવારના 3 લોકોની હત્યાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બિષ્ણુપુરમાં 3 લોકોની હત્યા

મણિપુરમાં ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસાની આગ હજુ શાંત થઈ નથી ત્યારે મહિલાઓની નગ્ન પરેડ બાદ મણિપુરની હાલત બદથી બત્તર બનતી જઈ રહી છે. બે સમુદાય એકબીજાના દુશ્મન બની ગયા છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ આ અંગે ઘણા પગલા લઈ ચૂકી છે તેમ છત્તા મામલો થાળે પડ્યો નથી. ત્યારે હવે મણિપુરમાં ફરીએક હિંસક બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ બિષ્ણુપુરમાં એક જ પરિવારના 3 લોકોની હત્યા કરવામાં આવી છે.

 અથડામણમાં 17 લોકો ઘાયલ

આના બે દિવસ પહેલા મણિપુરમાં હિંસા થઈ હતી. બિષ્ણુપુર જિલ્લામાં, સશસ્ત્ર દળો અને મેઇતેઈ સમુદાયના વિરોધીઓ વચ્ચેની અથડામણમાં 17 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઈમ્ફાલમાં જાહેર કરાયેલ કર્ફ્યુમાં છૂટછાટનો આદેશ પાછો ખેંચવો પડ્યો હતો. અધિકારીઓએ સાવચેતીના પગલા તરીકે દિવસ દરમિયાન નિયંત્રણો લાદ્યા હતા. સશસ્ત્ર દળો અને મણિપુર પોલીસે જિલ્લાના કાંગવાઈ અને ફૌગાકચાઓ વિસ્તારોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

બિષ્ણુપુરમાં હિંસાની તાજી ઘટનાઓ વચ્ચે ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં કર્ફ્યુમાં સંપૂર્ણપણે રાહત આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિષ્ણુપુરમાં મેઇતેઈ સમુદાયની ભીડ સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો. ભારતીય સેના અને રેપિડ એક્શન ફોર્સના ગોળીબારમાં 19 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. બિષ્ણુપુરના કંગવાઈ અને ફૌગકચાઓમાં અથડામણમાં સુરક્ષા દળોએ ટીયર ગેસના અનેક શેલ છોડ્યા હતા.

RBI હેડક્વાર્ટર પર કર્યો હુમલો

પછી જ ટોળાએ આરબીઆઈ હેડક્વાર્ટર પર હુમલો કર્યો અને 16,000 રાઉન્ડ ગોળીઓ ચલાવી. એકે શ્રેણીની એસોલ્ટ રાઇફલ, ત્રણ ઘાતક રાઇફલ્સ, 195 સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ, પાંચ MP-4 બંદૂકો, 16 પિસ્તોલ, 25 બુલેટપ્રૂફ જેકેટ, 21 કાર્બાઇન, 124 ગ્રેનેડ અને અન્ય દારૂગોળો લૂંટવામાં આવ્યો હતો. ટોળું ઇમ્ફાલમાં અન્ય બે શસ્ત્રાગાર પર પણ હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું. સુરક્ષા દળો પહેલાથી જ એલર્ટ હોવા છતાં તેઓ હથિયારો લૂંટી શક્યા ન હતા.

મણિપુરના ડીજીપી રાજીવ સિંહે શુક્રવારે કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે કે ટોળું આ રીતે ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં પ્રવેશી શકે છે અને અમારા હથિયારો પર હાથ સાફ કરી શકે છે. પોલીસનું કહેવું છે કે ઘણા લૂંટાયેલા હથિયારો મળી આવ્યા છે અને પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રકારની લૂંટ ભૂતકાળમાં પણ બની છે અને અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. હથિયારો છીનવી લેવા એ મોટો ગુનો છે. અમે આઈજીપી રેન્કના અધિકારીને આઈઆરબી હેડક્વાર્ટરમાં મોકલ્યા છે અને ટોળું અહીંથી કેવી રીતે હથિયારો લઈ જઈ શકે છે તેની તપાસ કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">