
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ CM પદેથી રાજીનામુ આપવાનો ઈનકાર કરી રાજ્યમાં બંધારણીય સંકટ જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન જ્યારે મમતાને પૂછવામાં આવ્યુ કે શું તેઓ રાજીનામુ આપવા રાજભવન જશે તો મમતાએ કહ્યુ કે હું હારી નથી. તો રાજીનામુ આપવાનો સવાલ જ ઉદ્દભવતો નથી હું રાજીનામુ નહીં આપુ.
મમતાએ આ પ્રશ્નનો વિસ્તારથી જવાબ આપતા કહ્યુ કે નૈતિક રીતે તેની જીત થઈ છે. મમતાએ કહ્યુ હું પાર્ટીના સદસ્યો સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરીશ. હું ભાજપના અત્યાચારોને સહન નહીં કરુ, તેમણે કહ્યુ અમારી લડાઈ ભાજપ સાથે ન હતી પરંતુ ચૂંટણી પંચ સામે હતી. ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને કામ કર્યુ.
મમતાએ આ પ્રકારના તેવરથી હાલ તો બંધારણીય સંકટ ઉભુ થઈ શકે છે. જો કે નવી સરકારની રચના પર તેની કોઈ અસર નહીં પડે. વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ જણાવ્યુ કે જો તેઓ રાજીનામુ નથી આપી રહ્યા તો બંધારણ અંત્રગત રાજ્યપાલ તેમની સરકારને બરતરફ કરી શકે છે કારણ કે ચૂંટણી પંચે જરૂરી અધિસૂચના અને જનાદેશ જારી કરી દીધો છે.
લોકસભા સચિવાલયના પૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યના જણાવ્યા અનુસાર જો મમતા બેનર્જી રાજીનામુ ન આપે તો પણ તેનાથી કોઈ મોટો ફર્ક નહીં પડે કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 7 મી મે એ સમાપ્ત થાય છે. સામાન્ય રીતે નવા CM ની શપથવિધિ સુધી રાજ્યપાલ જુના CMને કાર્યવાહક CM તરીકેનું પદ સંભાળવાનું કહેતા હોય છે.
બંધારણીય જોગવાઈ જણાવે છે કે પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થઈ ગયા બાદ એક સરકારી પદ પર યથાવત્ નથી રહેતી. જો મમતા ચૂંટણીને પડકારે છે તો તે ચૂંટણી યાચિકા દ્વારા થાય છે. જેની સુનાવણી બાદમાં થાય છે. બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે હારેલા મુખ્યમંત્રીને તેના પદ પર બની રહેવાની અનુમતી આપે છે.
વધુમાં પીડીટી આચાર્યે જણાવ્યુ કે SIR ની યાદીમાંથી નામ હટાવવાના મુદ્દા પર તેઓ ચૂંટણીને પડકારી શકે છે પરંતુ તે એક અલગ યાચિકા હશે. ભલે તેના નિર્ણય પર બાદમાં કોઈ પગલા લેવામાં આવે પરંતુ હાલ તે 7-8 મે બાદ મુખ્યમંત્રીની ખુરશી પર ન રહી ન શકે.
આ સામાન્ય જાણકારી બંધારણ અને તેની જોગવાઈ આધારીત છે. વાસ્તવિક સ્થિતિમાં રાજ્યપાલનો નિર્ણય, રાજકીય ગઠબંધન અને સુપ્રીમકોર્ટનો હસ્તક્ષેપ પણ મહત્વપૂર્ણ રહે છે.