રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ‘ખેલો હોબે’ કરવા મમતા બેનર્જી તૈયાર, સોનિયા ગાંધીનું મળ્યુ સમર્થન
સુરજેવાલાએ ભારપૂર્વક કહ્યું, "દેશ અને લોકોના હિત માટે પરસ્પર મતભેદોથી ઉપર ઉઠવાનો સમય આવી ગયો છે." ખુલ્લા મનથી ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ આ ચર્ચાને આગળ વધારવી જોઈએ.
રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીને (PRESIDENT ELECTION 2022) લઈને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ (CM Mamta Banarjee) લીધેલી આગેવાનીને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. મમતા બેનર્જીએ વિપક્ષી નેતાઓની બેઠક બોલાવવાની પહેલ કર્યા પછી, તેમણે શનિવારે કહ્યું કે પરસ્પર મતભેદોથી ઉપર ઊઠીને એવી વ્યક્તિને પસંદ કરવાનો સમય આવી ગયો છે જે બંધારણ અને દેશની સંસ્થાઓનું રક્ષણ સારી રીતે કરી શકે.
તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિપક્ષના નેતાઓને પત્ર લખીને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના અનુગામી માટે 18 જુલાઈની ચૂંટણી માટે એક સામાન્ય વ્યૂહરચના બનાવવા માટે નવી દિલ્હીમાં 15 જૂને બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાજર રહેવા વિપક્ષના નેતાઓને વિનંતી કરી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NCPના વડા શરદ પવાર, TMCના વડા મમતા બેનર્જી અને વિરોધ પક્ષોના અન્ય કેટલાક નેતાઓ સાથે વાત કરી છે. કોરાના વાયરસથી સંક્રમિત હોવાના કારણે સોનિયા ગાંધીએ, વિપક્ષના નેતાઓની બેઠકમાં વાતચીત મલ્લિકાર્જુન ખડગેને જવાબદારી આપવામાં આવી છે.
“કોંગ્રેસનો અભિપ્રાય છે કે દેશને રાષ્ટ્રપતિના રૂપમાં એક એવા વ્યક્તિની જરૂર છે જે બંધારણ અને આપણી સંસ્થાઓની રક્ષા કરી શકે, જેના પર શાસક પક્ષ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે,” તેમણે કહ્યું. આ સમયની જરૂરિયાત છે. કોંગ્રેસે કોઈ નામ સૂચવ્યું નથી, પરંતુ આપણા સૌની જવાબદારી છે કે આપણે એવી વ્યક્તિને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરીએ જે ખંડિત સામાજિક તણાવને નાબુદ કરી શકે અને બંધારણનું રક્ષણ કરી શકે.
સુરજેવાલાએ ભારપૂર્વક કહ્યું, “દેશ અને લોકોના હિત માટે પરસ્પર મતભેદોથી ઉપર ઉઠવાનો સમય આવી ગયો છે.” ચર્ચાઓ ખુલ્લા મનથી થવી જોઈએ. અમે માનીએ છીએ કે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ આ ચર્ચાને આગળ વધારવી જોઈએ.