શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં નૃત્ય ગોપાલદાસ મથુરામાં છે. આગ્રાના સીએમઓ અને તમામ ડૉક્ટર્સ નૃત્ય ગોપાલદાસની સારવાર કરવા માટે પહોંચી ગયા છે. તેમને ઓક્સીજન આપવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલદાસની સારવારને લઈ મથુરાના જિલ્લાધિકારી સાથે વાત કરી છે. મુખ્યપ્રધાને મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર નરેશ ત્રેહાન સાથે પણ વાત કરી અને નૃત્ય ગોપાલદાસને જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા. તમને જણાવી દઈએ કે નૃત્યગોપાલ દાસ શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં સામેલ થવા માટે મથુરા ગયા હતા. જન્મોત્સવ પછી તે સ્ટેટ બેન્ક સ્થિત રામમંદિર પર રોકાયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:50 am, Thu, 13 August 20