AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: PM આવાસ યોજના હેઠળ 5 લાખથી વધુ લાભાર્થીઓ આજે કરશે ‘ગૃહપ્રવેશ’, PM મોદી પણ કાર્યક્રમમાં સામેલ થશે

PM મોદી 29 માર્ચે બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા 'ગૃહપ્રવેશ' કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે પીએમ મોદી લોકોને સંબોધિત પણ કરશે. સોમવારે તેમણે ટ્વીટ કર્યું કે 'મધ્યપ્રદેશના મારા ગ્રામીણ ભાઈ-બહેનોના જીવનમાં એક નવી સવાર આવવાની છે.

Madhya Pradesh: PM આવાસ યોજના હેઠળ 5 લાખથી વધુ લાભાર્થીઓ આજે કરશે 'ગૃહપ્રવેશ', PM મોદી પણ કાર્યક્રમમાં સામેલ થશે
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 7:44 AM
Share

Madhya Pradesh: મધ્યપ્રદેશમાં PM આવાસ યોજના-ગ્રામીણ ((pradhanmantri gramin awas yojana))ના લગભગ 5.21 લાખ લાભાર્થીઓ બુધવારે ઘરે પ્રવેશ કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ હાજરી આપશે. PM મોદી 29 માર્ચે બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ(Video Conference) દ્વારા ‘ગૃહપ્રવેશ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે પીએમ મોદી લોકોને સંબોધિત પણ કરશે. સોમવારે તેમણે ટ્વીટ કર્યું કે ‘મધ્યપ્રદેશના મારા ગ્રામીણ ભાઈ-બહેનોના જીવનમાં એક નવી સવાર આવવાની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (Rural) હેઠળ, મંગળવારે 5.21 લાખ પરિવારોને તેમના ઘરમાં પ્રવેશ મળશે. મને પણ આમાં ભાગ લેવાની તક મળશે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છતરપુરથી આ રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં હાજરી આપશે.

 મુખ્યમંત્રી શિવરાજે કહ્યું કે દરેક ગરીબ પરિવાર પાસે પોતાનું પાકું ઘર હોવું જોઈએ, તે કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંકલ્પ છે. તેને પરિપૂર્ણ કરવા માટે, દરેક પાત્ર વ્યક્તિને 2024 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ પાકું આવાસ આપવામાં આવશે. મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા 1 એપ્રિલ, 2016થી શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ, મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 24.10 લાખથી વધુ મકાનો પૂર્ણ થયા છે.

કોઈ ગરીબ કાચા ઘરમાં નહીં રહે

તેમણે કહ્યું કે બૈગા, સહરિયા અને ભરિયા આદિવાસીઓના મંજૂર ઘરોમાંથી, પ્રોજેક્ટ હેઠળ 23,000 થી વધુ ઘરો પૂર્ણ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સંકલ્પ કર્યો છે કે રાજ્યનો કોઈ ગરીબ કાચા ઘરમાં નહીં રહે. દરેક વ્યક્તિનું પોતાનું પાકું ઘર હશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2024 સુધીમાં દરેક વ્યક્તિને પાકું આવાસ આપવામાં આવશે.

નવા ઘરોમાં ઉજવણી કરવામાં આવશે

સમગ્ર મધ્યપ્રદેશમાં નવા ઘરોમાં શંખ, દીવા, ફૂલો અને રંગોળી સહિતના પરંપરાગત ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (PMAY-G) ના અમલીકરણમાં ઘણા અનોખા અને નવીન પગલાં જોવા મળી રહ્યા છે. આમાં મહિલા મેસન્સ સહિત હજારો મેસન્સને તાલીમ, ફ્લાય એશ ઈંટોનો ઉપયોગ, કેન્દ્રીય સામગ્રી અને પ્રોજેક્ટ્સ માટે મહિલા સ્વ-સહાય જૂથોને લોન આપવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-Aryan Khan Drugs case : NCB એ ચાર્જશીટ દાખલ કરવા માટે માંગ્યો 90 દિવસનો સમય, જાણો શું છે મામલો?

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">