લવજેહાદ પર ઉત્તરપ્રદેશ બાદ આ રાજ્ય પણ લાવશે કાયદો, પાદરી અને મૌલવીને પણ 5 વર્ષની સજાની જોગવાઈ

|

Nov 25, 2020 | 10:28 PM

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે લવ જેહાદ વિરૂદ્ધ સખ્ત અદ્યાદેશ તૈયાર કર્યો છે. યુપી બાદ હવે મઘ્યપ્રદેશ પણ લવજેહાદ વિરૂદ્ધ સકંજો કરતુ દેખાઈ રહ્યું છે. બુધવારે મઘ્યપ્રદેશમાં ધર્મ સ્વતંત્ર વિધેયક 2020ને લઈને મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. મઘ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નરોત્તમ મિશ્રાએ જાણકારી આપી હતી કે બેઠકમાં કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. નરોત્તમ મિશ્રાએ તેમના ટ્વીટમાં લખ્યું […]

લવજેહાદ પર ઉત્તરપ્રદેશ બાદ આ રાજ્ય પણ લાવશે કાયદો, પાદરી અને મૌલવીને પણ 5 વર્ષની સજાની જોગવાઈ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે લવ જેહાદ વિરૂદ્ધ સખ્ત અદ્યાદેશ તૈયાર કર્યો છે. યુપી બાદ હવે મઘ્યપ્રદેશ પણ લવજેહાદ વિરૂદ્ધ સકંજો કરતુ દેખાઈ રહ્યું છે. બુધવારે મઘ્યપ્રદેશમાં ધર્મ સ્વતંત્ર વિધેયક 2020ને લઈને મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. મઘ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નરોત્તમ મિશ્રાએ જાણકારી આપી હતી કે બેઠકમાં કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. નરોત્તમ મિશ્રાએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે  ”ધર્મ સ્વાતંત્રય વિધેયકના ડ્રાફ્ટમાં બહેલાવી, ફોસલાવીને કે ધમકાવીને ધર્માંતરણથી લગ્ન કરવા પર 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. આવી રીતે લગ્ન કે નિકાહ કરાવનારા ધર્મગૂરૂ, કાજી, મૌલવી કે પાદરીને પણ 5 વર્ષની સજા થશે. આવા લગ્નો કરાવનાર સંસ્થાઓના રજીસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવશે.”

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
 

 



10 પોઈન્ટમાં સમજો ડ્રાફ્ટ:


1. બહેલાવી, ફોસલાવીને કે ધમકાવીને ધર્માંતરણથી લગ્ન કરવા પર 10 વર્ષની સજાની જોગવાઈ.
2. ધર્માંતરણ અને ધર્માંતરણ બાદ થનારા લગ્નો માટે 1 મહિના પહેલા પૂર્વ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટને ધર્માંતરણ અને લગ્ન કરનાર તેમજ કરાવનાર બન્ને પક્ષોની લેખીતમાં અરજી આપવી પડશે.
3. અરજી આપ્યા વગર ધર્માંતરણ કરાવનારા ધર્મગૂરૂ, કાજી, મૌલવી કે પાદરીને પણ 5 વર્ષની સજા થશે.
4. ધર્માંતરણ અને જબરદસ્તી લગ્નની અરજી પીડિત પોતે, માતા-પિતા, પરિજન અથવા ગાર્ડિયન દ્વારા કરી શકાશે.
5. આ અપરાધને સંજ્ઞેય અને બિનજામીનપાત્ર હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 


6. જબરદસ્તી ધર્માંતરણ કે લગ્નો કરાવનાર સંસ્થાઓના રજીસ્ટ્રેશન રદ કરાશે.
7. આ પ્રકારના ધર્માંતરણ અને લગ્નો કરાવનારી સંસ્થાઓને ડોનેશન આપવાવાળી સંસ્થા અથવા તો લેવાવાળી સંસ્થાઓના રજીસ્ટ્રેશન પણ રદ થશે.
8. આ પ્રકારે ધર્માંતરણ અને લગ્નોમાં સહયોગ કરનારા બધા આરોપીઓ વિરૂદ્ધ મુખ્ય આરોપીની જેમ ન્યાયીક કાર્યવાહી થશે.
9. ધર્માંતરણ અને લગ્નના આરોપીએ પોતે જ પ્રમાણીત કરવું પડશે કે આ કાર્ય કોઈપણ દબાણ વગર, ધમકી વગર કે લાલચ આપ્યા વગર  કરાયા છે.
10. આ પ્રકારના લગ્નને શૂન્ય એટલે કે લગ્ન થયાં જ નથી તેમ મનાશે.

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 
Next Article