AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન શું ખરેખર પરિપૂર્ણ કરી શકાશે ?, દેશને થઈ શકે છે 10 લાખ કરોડ સુધીનો વધુ ખર્ચ

કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ન્યૂયનતમ આવક યોજનાથી લઈને ખેડૂતો માટે અલગ બજેટ સુધીનો ઘણાં વચનો આપ્યા છે. એટલું જ નહીં સરકારી નોકરીઓ પણ ભરવાનું કામ કરશે. તેમ જ લોકોને સ્વાસ્થ્યની પણ સેવા પૂરી પાડવાની વાત કરી છે. તેમજ જીએસટી સરળ બનાવવાની વાત કરી છે. જો કે આ તમામ […]

રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન શું ખરેખર પરિપૂર્ણ કરી શકાશે ?, દેશને થઈ શકે છે 10 લાખ કરોડ સુધીનો વધુ ખર્ચ
| Updated on: Apr 03, 2019 | 10:34 AM
Share

કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ન્યૂયનતમ આવક યોજનાથી લઈને ખેડૂતો માટે અલગ બજેટ સુધીનો ઘણાં વચનો આપ્યા છે. એટલું જ નહીં સરકારી નોકરીઓ પણ ભરવાનું કામ કરશે. તેમ જ લોકોને સ્વાસ્થ્યની પણ સેવા પૂરી પાડવાની વાત કરી છે. તેમજ જીએસટી સરળ બનાવવાની વાત કરી છે.

જો કે આ તમામ વચ્ચે મહત્વનો વાદો પૂરો કરવા માટે અર્થવ્યવસ્થા માટે પણ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. આ માટે સરકારને ઓછામાં ઓછો 10 લાખ કરોડનું વધારે ખર્ચ થઈ શકે છે. આ જાણવા માટે કોંગ્રેસના જાહેરાત પાછળ ઘણાં પ્રશ્નો રહેલાં છે.

ન્યૂનતમ આવક યોજના (NYAY)

કોંગ્રેસની સૌથી મહત્વકાંક્ષી અને સૌથી ખર્ચાળ યોજના છે. જેમાં દેશના 20 ટકા ગરીબોને વાર્ષિક 72 હજારની ચોક્કસ આવક મળી શકે છે. જેના માટે સરકારને 3.6 લાખ કરોડનો ખર્ચ થશે. જેના કારણે GDPમાં 1 ટકા અને બીજા વર્ષમાં 2 ટકાનો ખર્ચ થશે.

આ પણ વાંચો : અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને ગણાવ્યુ ઠગપત્ર

શિક્ષણ પાછળ 6 ટકા GDP

શિક્ષણ પાછળ ખર્ચ વધારવાની કોંગ્રેસ તરીકે જાહેરાત કરી છે. જેમાં રાહુલ ગાંધીએ હાલના જીડીપીના 4.6 ટકા શિક્ષણ પર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. વાર્ષિક 8.76 લાખ કરોડ રૂપિયાનો થાય છે, જે વાર્ષિક રૂ. 11.4 લાખ કરોડ પર પહોંચશે.

નવી નોકરી માટે તક

કોંગ્રેસ 2023-24માં દેશની સ્વસ્થ્ય સેવા પર હેલ્થ કેર પર જીડીપીના 3 ટકા ખર્ચ કરવાની જાહેરાત કરી છે. જેમાં હાલના હેલ્થકેરથી આવક ડબલથી પણ વધુ થવાની શક્યતા રહેલી છે. તેમજ જેના કારણે 2.47 લાખ કરોડ રૂપિયા પર પહોંચી શકે છે. એટલું જ નહીં દેશનો સ્વસ્થ્ય ખર્ચ રૂ. 5.71 લાખ કરોડ પર પહોંચી શકે છે. તેમજ 2020 સુધીમાં દેશમાં 4 લાખ સરકારી પદો ભરવાનો પણ દાવો કર્યો છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા પણ 20 લાખ નોકરીઓના પદ ભરવા માટેની વાત કરી છે.

ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેન્દ્ર સરકારના બજેટની સરખામણીમાં રૂ. 10 લાખ કરોડનું ભારણ વધી શકે છે. હાલમાં ભારતનું વાર્ષિક બજેટ આશરે રૂ. 27.84 લાખ કરોડનો છે, જેમાં રૂ. 10 લાખ કરોડનો વધારો થઈ શકે છે. ભારતની આવકની 12 થી 14 ટકાનો વધારો થવાની શક્યતા રહેલી છે. જેના માટે હજી દેશના ભવિષ્ય પર પણ કેવી અસર થશે તે આગામી સમયમાં જોવા મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">