મુંબઈના ડોંગરીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 14 થઈ ગયો છે. કુલ 23 લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમને જેજે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાંથી 14 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યારે ઘાયલ થયેલા 9 લોકોને સારવાર આપવામાં આવી રહી છે તો બીજીતરફ ઘટનાસ્થળ પર હજુ પણ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો બચાવકાર્ય કરી રહી છે. જે લોકોના મોત થયા છે તેમાં દોઢ વર્ષના ઈબ્રાહિમ, 7 વર્ષના અરબાઝ, 8 વર્ષના શહેઝાદ, 25 વર્ષની સબિયા શેખ, 55 વર્ષના અબ્દુલ શેખ, 15 વર્ષનો મુઝામીલ સલ્માની, 25 વર્ષની સાઈરા શેખ, 34 વર્ષનો જાવેદ ઈસ્માઈલ, 40 વર્ષનો અર્હાન શેહજાદ, 13 વર્ષનો કશ્યપ અમીરાજાન, 25 વર્ષની સના સલ્માની અને 20 વર્ષના ઝુબેર સલ્માનીનો સમાવેશ થાય છે.
[yop_poll id=”1″]
આ પણ વાંચો: VIDEO: ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો