ત્રિપુરાના નવા CM માણિક સાહા જ નહીં પણ આ નેતાઓએ પણ કોંગ્રેસ છોડી પકડ્યો ભાજપનો હાથ, આજે મળી મુખ્યપ્રધાનની ખુરશી

|

May 15, 2022 | 6:01 PM

જો કે ભાજપ દ્વારા આ પહેલો પ્રયોગ નથી. આ પહેલા ઉત્તરાખંડ, ગુજરાત અને કર્ણાટકમાં પણ મુખ્યમંત્રીના ચહેરામાં બદલાવ જોવા મળ્યો છે. પૂર્વોત્તરના ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં છે.

ત્રિપુરાના નવા CM માણિક સાહા જ નહીં પણ આ નેતાઓએ પણ કોંગ્રેસ છોડી પકડ્યો ભાજપનો હાથ, આજે મળી મુખ્યપ્રધાનની ખુરશી
congress leaders joined BJP and become CM

Follow us on

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે (Biplab Kumar Deb) શનિવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરીને સમગ્ર ભાજપ વિભાગને ચોંકાવી દીધા હતા. જો કે તેમના રાજીનામાના કલાકોમાં પાર્ટીના રાજ્ય વિધાનસભા પક્ષે માનિક સાહાને (Manik Saha) તેના નવા નેતા તરીકે ચૂંટ્યા અને ત્રિપુરાના નવા મુખ્યપ્રધાનની નિમણૂક કરી. ત્રિપુરામાં (Tripura) સત્તા વિરોધી લહેર પર કાબુ મેળવવા માટે ભાજપે નવા ચહેરા સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની તેની જૂની વ્યૂહરચના અપનાવી છે, જે ભૂતકાળમાં પણ સફળ સાબિત થઈ છે.

જો કે ભાજપ દ્વારા આ પહેલો પ્રયોગ નથી. આ પહેલા ઉત્તરાખંડ, ગુજરાત અને કર્ણાટકમાં પણ મુખ્યમંત્રીના ચહેરામાં બદલાવ જોવા મળ્યો છે. પૂર્વોત્તરના ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં છે. સૌથી મહત્વની બાબત એ હતી કે ભાજપે કોંગ્રેસ છોડીને ભગવા પાર્ટીમાં જોડાનારા ઘણા નેતાઓને મુખ્યમંત્રી પદની ઓફર કરી છે. અમે અહીં એવા કોંગ્રેસના નેતાઓનો ઉલ્લેખ કરીશું જેઓ તેમની જૂની પાર્ટી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને બાદમાં મુખ્યમંત્રી બન્યા હતા.

હિમંત બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વર્ષ 2021માં રાજ્યના 15મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેમની નિમણૂક સર્બાનંદ સોનોવાલના સ્થાને કરવામાં આવી હતી. હિમંત વર્ષ 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હકીકતમાં 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં સરમાનું જોરદાર પ્રચાર ભાજપની જીતનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. હિમંત આસામની જાલુકબારી વિધાનસભા બેઠક પરથી સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

હિમંત બિસ્વા સરમાને સોનોવાલની સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે 2021ની ચૂંટણીમાં સરમા 1 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. ભાજપ દ્વારા તેમને નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ના કન્વીનર બનાવવામાં આવ્યા હતા. પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં ભાજપને સત્તામાં લાવવામાં સરમાએ પોતાનું મોટું યોગદાન આપ્યું છે.

મણિપુર: એન બિરેન સિંહ

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે વર્ષ 2016માં કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. આ પછી, તેઓ મણિપુરમાં 2017 વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. 15 વર્ષ બાદ મણિપુરમાં ભાજપ દ્વારા બિન-કોંગ્રેસી સરકાર બનાવવામાં આવી છે. ભાજપે ફરી એન બિરેન સિંહને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. બિરેન સિંહ ભાજપમાંથી બનેલા મણિપુરના પહેલા મુખ્યમંત્રી છે. તેમણે ભાજપ અને તેના સાથી પક્ષોના 33 ધારાસભ્યોના સમર્થનથી વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં જીત મેળવીને પોતાની કુશળતા દર્શાવી હતી.

અગાઉ બિરેન સિંહ ઈબોબી સિંહની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી હતા. જોકે, તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. આ વર્ષે ભાજપે એન બિરેન સિંહના નેતૃત્વમાં મણિપુરમાં વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત નોંધાવી હતી. બિરેને પોતાની કારકિર્દી ફૂટબોલ ખેલાડી તરીકે શરૂ કરી હતી. જોકે, બાદમાં તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં જોડાયો. આ પછી તેણે પોતાનું વલણ પત્રકારત્વ તરફ વાળ્યું. જણાવી દઈએ કે સિંહે હિંગંગ સીટ પરથી પાંચમી વખત ચૂંટણી જીતી છે.

નાગાલેન્ડ: નેફિયુ રિયો

નેફિયુ રિયો નાગાલેન્ડના પહેલા સીએમ છે, જેમણે સતત ત્રણ ચૂંટણી જીતી છે. રિયો અગાઉ કોંગ્રેસના નેતા હતા. જોકે તેમણે 2002માં કોંગ્રેસ છોડી દીધી હતી. મળતી માહિતી મુજબ નાગાલેન્ડ મુદ્દે તત્કાલિન સીએમ એસસી જમીર સાથે મતભેદને કારણે રિયોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તે નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)માં જોડાયો. NPF સ્થાનિક રાજકીય પક્ષો અને ભાજપ સાથે સંકળાયેલું હતું.

તેમના નેતૃત્વમાં ડેમોક્રેટિક એલાયન્સ ઓફ નાગાલેન્ડ (DAN)ની રચના કરવામાં આવી હતી. આ ગઠબંધન વર્ષ 2003માં વિધાનસભા ચૂંટણીમાં જીત્યું હતું. જે બાદ 10 વર્ષ બાદ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ ગઈ હતી અને નેફિયુ રિયો નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2008માં DAN ગઠબંધને નાગાલેન્ડમાં સરકાર બનાવી, ત્યારબાદ રિયો ફરીથી મુખ્યમંત્રી બન્યા. એ જ રીતે વર્ષ 2013માં નાગાલેન્ડમાં NPF જીત્યું હતું. જે બાદ ફરી એકવાર રિયો ત્રીજી વખત સીએમ તરીકે ચૂંટાયા. જો કે વર્ષ 2018માં NPFએ ભાજપ સાથેનું જોડાણ તોડ્યા પછી રિયો નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)માં જોડાયો. આ પછી વર્ષ 2018માં જ ચૂંટણી પહેલા રિયોએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને ચૂંટણી જીતીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. નેફિયુએ 1989માં રાજકીય સફર શરૂ કરી હતી.

ત્રિપુરા: માણિક સાહા

સાહા વર્ષ 2016માં કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ માણિકને ચાર વર્ષ બાદ 2020માં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ બન્યા હતા. સાહાને તાજેતરમાં રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. હવે તેમને ત્રિપુરાના નવા સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. માણિક સાહા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે.

Published On - 6:00 pm, Sun, 15 May 22

Next Article