LAC: ભારત અને ચીન વચ્ચે 12મી વખતની બેઠક 9 કલાક ચાલી, લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર થઈ વાતચીત- સૂત્ર

|

Jul 31, 2021 | 9:19 PM

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની 12મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી.

LAC: ભારત અને ચીન વચ્ચે 12મી વખતની બેઠક 9 કલાક ચાલી, લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર થઈ વાતચીત- સૂત્ર
12th round meeting between India and China lasted 9 hours

Follow us on

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ (India-China Dispute) વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની 12મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. આ વાટાઘાટો માટેની બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખામાં ચીની બાજુ ઓલ્ડી ખાતે સાંજે 7.30 વાગ્યે થઈ હતી. એએનઆઈએ સેનાના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, વાતચીત લગભગ 9 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં બંને પક્ષોએ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત લાંબા સમયથી એલએસી પર એપ્રિલ 2020થી યથાવત સ્થિતિને પુન:સ્થાપિત કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન એક કલાક લાંબી બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, એલએસી પર યથાવત સ્થિતિમાં કોઈ એકપક્ષીય ફેરફાર સ્વીકાર્ય નથી. અને પૂર્વીય લદ્દાખમાં શાંતિની સંપૂર્ણ પુન:સ્થાપના પછી જ સંબંધો સંપૂર્ણ રીતે વિકસી શકે છે.

જનરલ એમએમ નરવણેએ ખાસ સંદેશ આપ્યો

અગાઉ મે મહિનામાં આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, સંઘર્ષના તમામ બિંદુઓથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછો ખેંચ્યા વિના પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરી શકાતો નથી અને ભારતીય સેના આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તાજેતરમાં એવા અહેવાલો બહાર આવ્યા હતા કે, ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં અનેક સ્થળોએ LACને ફરી પાર કરી છે. જોકે સેનાએ આ સમાચારને ફગાવી દીધા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં 12 પાસ માટે બહાર પડી ભરતીઓ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: ગુસ્સે ભરાયેલા પાયલટની લાપરવાહીને લઈ પ્લેન ખડક સાથે ટકરાતા 113 પ્રવાસીનાં મોત, જાણો ક્યાં ભુલ થઈ ગઈ

Next Article