AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કુછ દિન તો ગુજારો ઉતરાખંડ મેં’ ટુરિઝમને વધારવા માટે ગુજરાતની રીતથી શો કરશે ‘Big B’

'કુછ દિન તો ગુજારો ગુજરાત મેં' આ ટેગલાઈન સાથે ગુજરાતના ટુરિઝમ(TOURISM) વિભાગ માટે અભિયાન ચલાવનાર અભિનેતા અમિતાભ બચ્ચન (AMITABH BACHCHAN ) હવે ઉત્તરાખંડ (UTTARKHAND)  માટે પણ આવું જ કરવા જઈ રહ્યા છે.

'કુછ દિન તો ગુજારો ઉતરાખંડ મેં' ટુરિઝમને વધારવા માટે ગુજરાતની રીતથી શો કરશે 'Big B'
amitabh bachchan (File Image)
Charmi Katira
| Edited By: | Updated on: Jan 16, 2021 | 5:20 PM
Share

‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ આ ટેગલાઈન સાથે ગુજરાતના ટુરિઝમ(TOURISM) વિભાગ માટે અભિયાન ચલાવનાર અભિનેતા અમિતાભ બચ્ચન (AMITABH BACHCHAN ) હવે ઉત્તરાખંડ (UTTARKHAND)  માટે પણ આવું જ કરવા જઈ રહ્યા છે. ઉત્તરાખંડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તે ટૂંક સમયમાં જ રિયાલિટી શોનું આયોજન કરશે.

શુક્રવારે મોડી રાતે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની (TRIVENDRA SINGH RAWAT ) આગેવાની હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ શોનું શીર્ષક હશે, ‘સ્વર્ગમાં 100 દિવસ.’ આ રિયાલિટી શો અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે અને તે તમામ ન્યુઝ અને એન્ટરટેનમેન્ટ પર પ્રસારિત થશે. આ માહિતી ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મદન કૌશિકે (MADAN KAUSHIK) આપી છે.

મદન કૌશીકે કહ્યું હતું કે, આ કાર્યક્રમ ઉત્તરાખંડમાં ટુરિઝમના(UTTARKHAND TOURISM) વિકાસ માટે ચલાવવામાં આવશે. અહીં થોડો અંશ ગુજરાતન રીત પર હશે. જેમાં અમિતાભ બચ્ચને એક્ટિંગ કરી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા એક કંપનીને જવાબદારી પણ સોંપવામાં આવી છે. મદન કૌશિકે કહ્યું કે, મેસર્સ જમ્પિંગ ટોમેટો માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડને શો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂપિયા 12.81 કરોડની રકમ ચૂકવવામાં આવશે. અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના કોલર ટયુનનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ કોલર ટયુનનો ઉદ્દેશ કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતતા લાવવનો છે.

જોકે હવે આરોગ્ય મંત્રાલયે અમિતાભ બચ્ચનની જગ્યાએ જસલીન ભલ્લાના(JASLEEN BHALLA) અવાજનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય કોરોનાને લગતા સંદેશમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોરોના ચેપ અટકાવવા જાગૃતિ સંદેશ આપવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે કોરોનાની રસીકરણ(CORONA VACCINATION ) અંગે માહિતી આપવામાં આવશે. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનની જગ્યા લેનાર જસલીન ભલ્લા જાણીતી વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. તેનો અવાજ મેટ્રો સહિત સ્પાઈસ જેટ જેવી એરલાઈન કંપનીઓ દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જસલીન છેલ્લા 10 વર્ષથી વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરી રહી છે.

આ પણ વાંચો: ‘બિમારીનો ડર છોડો’ આ દાદા પાસેથી લો પ્રેરણા, 76 વર્ષની ઉંમરે પોતે છે ફિટ અને બીજાને શિખવાડે છે યોગ

g clip-path="url(#clip0_868_265)">