કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદથી આવતી તમામ ફ્લાઈટોને લેન્ડ કરવા સામે મનાઈ ફરમાવી દીધી છે. આ સાથે જ કોલકતાથી ઓપરેટ થતી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઈટ 6 તારીખથી લઈ 19 જુલાઈ સુધી અથવા તો આગળ જ્યાં સુધી નવો ઓર્ડર જારી ન થાય તે રદ રહેશે.
અગાઉ મમતા બેનરજી શાસિત સરકાર દ્વારા કેન્દ્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે પાંચ જેટલા કોરોનાનાં હોટસ્પોટ રાજ્યમાંથી ટ્રેનને મોકલવાની બંધ કરવામાં આવે. સાથે જ આ પાંચ રાજ્યમાંથી ફ્લાઈટ પણ ન મોકલવામાં આવે. જો કે અન્ય રાજ્યમાંથી આવતા ફ્લાઈટને અઠવાડિયામાં એક વાર પ્રવેશ કરવા દેવામાં આવશે. ગયા અઠવાડિયે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને ડોમેસ્ટીક ફ્લાઈટનાં ઓપરેશનમાં 45% માંથી 33% સુધી શરૂ કરી દેવા માટેની તૈયારીઓ બતાવવામાં આવી છે.
ડોમેસ્ટીક ફ્લાઈટ 25 મેથી શરૂ કરી દેવા માટે લીલી ઝંડી આપવામાં આવી ત્યાર બાદ હાલમાં આંતરરાષ્ટ્રીય અને કાર્ગો ફ્લાઈટ જ પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને હજુ 31 જુલાઈ સુધી પરવાનગી આપવામાં નથી આવી.