ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર સૌથી વધારે ફરિયાદો ઉત્તરપ્રદેશમાં દાખલ થઈ છે. ઉત્તરપ્રદેશમાં કુલ 139 ફરિયાદ દાખલ થઈ છે પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમાંથી એક જ ફરિયાદનું નિવારણ લાવવામાં આવ્યું છે.
તે ફરિયાદ હતી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમાં તેમને ભારતીય સેનાને ‘મોદીજીની સેના’ કહ્યું હતું. પંચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આગળ ધ્યાન રાખવા માટે અને સાવધાની રાખવા માટે કહ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય
દેશમાં કુલ દાખલ થયેલી ફરિયાદમાંથી 62 ફરિયાદ જે તે ફરિયાદ કરનારે પાછી લીધી હતી કે કેન્સલ કરી દીધી હતી. ત્યારે 504 ફરિયાદમાં 5 પંચને આપેલી સલાહો અને પ્રસ્તાવો હતા. તેથી કહી શકાય કે ચૂંટણી પંચ લગભગ 65 ટકા ફરિયાદોનું નિવારણ કરી ચૂક્યુ છે. આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો રાજકીય પાર્ટીઓથી લઈને ચૂંટણી અધિકારીઓ, પોલીસ, અલગ અલગ કંપનીઓ તથા બેન્ક અને પોસ્ટ ઓફિસની વિરૂધ્ધ કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]