ભારતમાં ચોમાસું ક્યારે બેસશે તેનો આધારે કેરળ પર છે. ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે. હવામાન વિભાગે પહેલાં આગાહી કરી હતી કે આ વર્ષે 5 જૂનના રોજ ચોમાસું બેસશે. જો કે ફરીથી અપડેટ આપતાં હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું હવે પહેલાં કરવામાં આવેલી આગાહીથી 4 દિવસ પહેલાં જ બેસી જશે. આમ ચોમાસાની શરૂઆત કેરળના દરિયાકિનારે 1 જૂનના રોજ થશે.
આ પણ વાંચો : VIDEO: જાણો કોરોનાની સારવાર લઈને ખાનગી હોસ્પિટલોને ગુજરાત હાઈકોર્ટે શું આદેશ કર્યો?
હવામાન વિભાગે માહિતી આપી હતી કે વર્ષે ચોમાસું સામાન્ય જ રહેશે. જો 96 ટકાથી લઈને 100 ટકા સુધી વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. ગયા વર્ષે કેરળના દરિયાકિનારે 8 જૂનના રોજ વરસાદ થયો હતો. આમ ભારતમાં જૂન અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે દેશમાં અડધા વધારે ખેતી વરસાદ પર જ આધારિત છે. ચોમાસું સામાન્ય રહેશે એ ખેડૂતો માટે સારા સમાચાર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:29 pm, Fri, 29 May 20