કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની એક ટીમ તેમનું ઓબ્ઝર્વેશન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને ફરી થોડો તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગઈ કાલે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ડો. રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે.
14 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી જાતે જ ટ્વિટર પર આપી હતી. ત્યારપછી તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને હોમ આઈસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી હતી. ગઈ કાલે રાતે તેમને સામાન્ય તાવ આવ્યો હતો અને ત્યારપછી તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:09 am, Tue, 18 August 20