ખરાબ હવામાનના કારણે Kedarnath યાત્રા રોકવામાં આવી, ભારે વરસાદને કારણે મુસાફરોની મુશ્કેલી વધી, હેલિકોપ્ટર સેવા પણ બંધ

|

May 23, 2022 | 3:39 PM

ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા(Kedarnath Dham Weather) રોકી દેવામાં આવી છે. મુસાફરોને સુરક્ષિત સ્થળોએ રોકવામાં આવ્યા છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર સેવાઓને પણ અસર થઈ છે. જ્યારે વરસાદ વચ્ચે પણ ભક્તો બાબાના દર્શન માટે કતારો લગાવી રહ્યા છે.

ખરાબ હવામાનના કારણે Kedarnath યાત્રા રોકવામાં આવી, ભારે વરસાદને કારણે મુસાફરોની મુશ્કેલી વધી, હેલિકોપ્ટર સેવા પણ બંધ
ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા રોકવામાં આવી
Image Credit source: Twitter

Follow us on

Kedarnath Dham : હવામાન વિભાગની આગાહી બાદ કેદારનાથ ધામ (Kedarnath Dham Weather) સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. જિલ્લા પ્રશાસને રૂદ્રપ્રયાગથી ગૌરીકુંડ જતા મુસાફરોને રોકી દીધા છે. ગૌરીકુંડ(Gaurikund)માં યાત્રા પર બ્રેક લગાવવામાં આવી છે. આવી સ્થિતિમાં તીર્થયાત્રીઓ સ્થળોએ ફસાયેલા છે અને હવામાન સ્વચ્છ થયા બાદ જ યાત્રિકોને કેદારનાથ ધામ મોકલવામાં આવશે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ કેદારનાથ ધામ સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. કેદારનાથ ધામમાં વરસાદ બાદ ઠંડીમાં પણ વધારો થયો છે.

ઠંડી અને વરસાદ વચ્ચે મુસાફરો પરેશાન

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કેદારનાથના દર્શન કરવા માટે લાઈનમાં લાગેલી છે. આજે સવારે 5 વાગે વરસાદ પડતાં કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. તીર્થયાત્રીઓને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ અને રુદ્રપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. હવે હવામાન સ્વચ્છ થયા બાદ જ યાત્રિકોને કેદારનાથ ધામ મોકલવામાં આવશે. ભારે વરસાદને કારણે પોલીસ પ્રશાસને મુસાફરોને સલામત સ્થળે રોકી દીધા છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓ પણ બંધ છે.

હેલિકોપ્ટર સેવાઓની કામગીરીમાં મુશ્કેલી

હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત જ્યાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે. સાથે જ તેની ખરાબ અસર કેદારનાથ ધામ પર જોવા મળી રહી છે. ગૌરીકુંડથી રૂદ્રપ્રયાગ સુધી 8 થી 10 હજાર મુસાફરો અલગ-અલગ સ્થળોએ ફસાયેલા છે. નાયબ પોલીસ અધિક્ષક પ્રબોધ ઘિલડીયાલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગના એલર્ટ બાદ જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. કેદારનાથ જતા તીર્થયાત્રીઓને સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગુપ્તકાશી અને રૂદ્રપ્રયાગ વચ્ચે પાંચ હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે.

હવામાન સાફ થયા બાદ ફરી યાત્રા શરૂ થશે

બીજી તરફ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે જિલ્લામાં સવારથી હવામાન ખરાબ છે. આવી સ્થિતિમાં કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. કેદારનાથમાં લગભગ 3200 શ્રદ્ધાળુઓ હાજર છે, જેમને હવામાન ચોખ્ખું થયા પછી નીચે લાવવામાં આવશે. જ્યારે ગૌરીકુંડમાં લગભગ 3200 અને સોનપ્રયાગમાં 1500 મુસાફરોને રોકવામાં આવ્યા છે.

Next Article