કરતારપુર કોરિડોર પ્રોજેક્ટને લઈને ભારત-પાકિસ્તાનની વચ્ચે ઝીરો પોઈન્ટ પર આજે એક તકનીકી બેઠક યોજાશે. આ બેઠકમાં ઉદ્ધાટનની તારીખને લઈને ચર્ચા થવાની સંભાવના છે.
આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુરના દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે તથા ભારતીય શીખ યાત્રાળુઓના વિઝા મુકત આંદોલનને સરળ બનાવશે. શીખ તીર્થયાત્રાળુઓને કરતારપુર સાહિબ જવા માટે માત્ર પરવાનગી લેવી પડશે. કરતારપુર સાહિબની સ્થાપના ગુરૂ નાનક દેવે 1522માં કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા ડૉ.મોહમ્મદ ફૈસલે ગુરૂવારે સાપ્તાહિક બ્રીફિંગને સંબોધન કરતાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર પર શુક્રવારે ઝીરો પોઇન્ટ ખાતે બેઠક યોજાશે. તેમને કહ્યું કે ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે અને કરતારપુર સાહિબ કોરિડોર પર તકનીકી બેઠક ઝિરો પોઈન્ટ પર 30 ઓગસ્ટે યોજાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાકિસ્તાન અને ભારત ગુરૂ નાનકના 550માં પ્રકાશ પર્વ પર 12 નવેમ્બરે લાહોરથી લગભગ 125 કિલોમીટર દુર નારોવાલમાં કોરિડોરના ઉદ્ધાટન પર હાલમાં પણ રીત-રીવાજો પર વિચાર કરી રહ્યા છે. 1947માં ભારતની આઝાદી બાદ બંને પાડોશી દેશો વચ્ચેનો આ કોરિડોર પણ પ્રથમ વિઝા મુક્ત કોરિડોર હશે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]