AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 281 લોકો મળ્યા કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રી સુધાકરે કહ્યું રાજ્યમાં કોઈ નિયંત્રણો નહીં લદાય

કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે (Health Minister K Sudhakar)કહ્યું કે રાજ્યના ધારવાડ જિલ્લામાં એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ(SDM College of Medical Sciences) કોવિડ-19 ક્લસ્ટર બની ગયું છે

કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 281 લોકો મળ્યા કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રી સુધાકરે કહ્યું રાજ્યમાં કોઈ નિયંત્રણો નહીં લદાય
Karnataka Health Minister K Sudhakar
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 1:10 PM
Share

SDM College of Medical Sciences: શનિવારે પણ કર્ણાટક(Karnataka)ના ધારવાડ(Dharwad)ની એસડીએમ મેડિકલ કોલેજમાં 99 લોકો કોરોના પોઝિટિવ(Corona Positive) મળી આવ્યા હતા, ત્યારબાદ કેમ્પસમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 281 થઈ ગઈ છે. મેડિકલ કોલેજમાં કોવિડ ફાટી નીકળ્યા બાદ કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે (Health Minister K Sudhakar)કહ્યું કે રાજ્યના ધારવાડ જિલ્લામાં એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ(SDM College of Medical Sciences) કોવિડ-19 ક્લસ્ટર બની ગયું છે કારણ કે આ અઠવાડિયે કેમ્પસમાં 281 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. 

સુધાકરે કહ્યું, ‘મને કહેવામાં આવ્યું છે કે એક સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન કોરોનાવાયરસ ફેલાયો છે. જો કે, હાલમાં અમે રાજ્યભરમાં નિયંત્રણો લાદવાની સ્થિતિમાં નથી અને લગ્ન અને અન્ય કાર્યક્રમો પણ થઈ રહ્યા છે.’ શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. 

કર્ણાટકમાં કોરોના ચેપના 402 નવા કેસ

કર્ણાટકમાં શનિવારે કોરોના સંક્રમણના 402 નવા કેસ નોંધાયા છે. સુધાકરે કહ્યું કે શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓમિક્રોન નામના નવા કોરોનાવાયરસ પ્રકારને ‘ચિંતાજનક’ ગણાવ્યા પછી કર્ણાટક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી આ પ્રકારનો કોઈ કેસ નોંધાયો નથી. તેમણે કહ્યું, ‘મેં ગૃહ વિભાગ અને બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકેને દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી કર્ણાટક આવેલા લોકોને શોધી કાઢવા કહ્યું છે.’ 

એસડીએમ કોલેજમાં સંક્રમિતોની સંખ્યા 281 હતી

ઉલ્લેખનીય છે કે, શનિવારે ધારવાડની SDM કોલેજમાં વધુ 99 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોરોના પોઝિટિવ જોવા મળેલા મોટાભાગના લોકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શુક્રવારે એસડીએમ કોલેજમાંથી 116 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, ત્યારબાદ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 182 થઈ ગઈ હતી. જો કે, શનિવારે 99 ટેલી સાથે, આ સંખ્યા હવે વધીને 281 થઈ ગઈ છે.

આ પણ વાંચો : Bank Holidays: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, ડિસેમ્બરમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">