કોરોનાની દહેશત : કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રેલીઓ, દેખાવો અને પાર્ટીઓ પર 15 દિવસ સુધી પ્રતિબંધ

|

Mar 29, 2021 | 8:22 PM

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં 15 દિવસ સુધી દેખાવો રેલીઓ અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. જો કે રાજ્ય સરકારે રાહત આપીને લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લીધો છે.

કોરોનાની દહેશત : કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રેલીઓ, દેખાવો અને પાર્ટીઓ પર 15 દિવસ સુધી પ્રતિબંધ
કર્ણાટકમાં રેલીઓ, દેખાવો અને પાર્ટીઓ પર 15 દિવસ સુધી પ્રતિબંધ

Follow us on

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે Karnataka સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં 15 દિવસ સુધી દેખાવો રેલીઓ અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. જો કે રાજ્ય સરકારે રાહત આપીને લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાના કેટલાક નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે સરકારે મહત્વપૂર્ણ પગલા લીધા છે.

લોકડાઉન અમલમાં નથી. Karnataka  સરકાર

આ નિર્ણય અંગે માહિતી આપતાં Karnataka સરકારે કહ્યું કે, અમે શાળાઓ અને કોલેજો બંધ કરીશું નહીં. અમે શાળાઓ અંગેના સૂચનો માંગ્યા છે, જેની પરીક્ષા 15 દિવસ પછી પૂરી થશે ત્યારે તેની સમીક્ષા કરવામાં આવશે. ” Karnataka સરકારે આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે,” આજથી આગામી 15 દિવસ માટે રાજ્યમાં કોઈ રેલીઓ અને દેખાવો યોજવામાં આવશે નહીં . રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી ઉજવણી પર પણ આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકડાઉન અમલમાં નથી. Karnataka  સરકારે  કહ્યું કે   જે લોકો માસ્ક પહેરશે નહીં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ

દેશમાં 22-28 માર્ચના અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યા 3.90,000 જેટલી હતી. નિષ્ણાતો કહે છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે, જ્યારે કોરોનાના સક્રિય કેસો 5 લાખથી વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગયા વર્ષે મેમાં સલાહ આપી હતી કે સરકારોએ એવા સમયે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનું વિચારવું જોઈએ જ્યારે પોઝિટિવિટી રેટ ઓછામાં ઓછો 14 દિવસ માટે માત્ર 5 ટકા કે તેથી ઓછો હોય.

રવિવારે સૌથી વધુ 68,266 Corona કેસ નોંધાયા હતા.

પંજાબ, મધ્યપ્રદેશ, કેરળ અને પુડુચેરી ચાર રાજ્યોમાં પોઝિટિવિટી દર 5 ટકાથી ઉપર છે. હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં કોરોનારસીના 60 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.દેશમાં Corona ના દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત થઈ રહ્યા છે. આ રેકોર્ડમાં મહારાષ્ટ્ર અને પંજાબ સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય છે.

આ રાજ્યોમાં કોરોનાના વધતા નવા કેસોએ કેન્દ્રની ચિંતામાં વધારો કર્યો છે. જેના પછી કેટલાક કારણો પણ બહાર આવ્યા છે. શનિવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની ઉચ્ચ-સ્તરની બેઠક દરમિયાન કેન્દ્રએ કેટલાક મોટા કારણો આપ્યા છે.

Published On - 8:19 pm, Mon, 29 March 21

Next Article