કપૂર પરિવારમાં હવે નહી ઉજવવામાં આવે ગણેશ ચતુર્થી, રણધીર કપૂરે જણાવ્યું કારણ

|

Aug 30, 2019 | 8:16 AM

કપૂર પરિવારમાં આ વખતે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ની ગૂંજ નહી સંભળાય. કપૂર પરિવાર દર વર્ષે ખુબ ધૂમધામની સાથે ગણેશ ચતુર્થી મનાવે છે પણ આ વખતે આ ગૂંજ નહી સંભળાય. કપૂર પરિવાર દર વર્ષે આર.કે સ્ટુડિયોમાં ગણેશ ઉત્સવનું આયોજન કરતો હતો. જેને ખુબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવતો હતો. ત્યારે હવે આર.કે સ્ટુડીયોમાં ભયંકર આગના લીધે થયેલા […]

કપૂર પરિવારમાં હવે નહી ઉજવવામાં આવે ગણેશ ચતુર્થી, રણધીર કપૂરે જણાવ્યું કારણ

Follow us on

કપૂર પરિવારમાં આ વખતે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ની ગૂંજ નહી સંભળાય. કપૂર પરિવાર દર વર્ષે ખુબ ધૂમધામની સાથે ગણેશ ચતુર્થી મનાવે છે પણ આ વખતે આ ગૂંજ નહી સંભળાય. કપૂર પરિવાર દર વર્ષે આર.કે સ્ટુડિયોમાં ગણેશ ઉત્સવનું આયોજન કરતો હતો. જેને ખુબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવતો હતો.

ત્યારે હવે આર.કે સ્ટુડીયોમાં ભયંકર આગના લીધે થયેલા નુકસાન પછી વેચી દેવામાં આવ્યો હતો. રણધીર કપૂરે ગણેશ ઉત્સવને લઈને કહ્યું કે મારા પિતાજી રાજ કપૂરે આર.કે.સ્ટુડિયોમાં ગણપતિ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી અને હવે કપૂર પરિવાર પાસે એટલી મોટી પ્રોપર્ટી નથી, જ્યાં તે ગણેશ ઉત્સવનું આયોજન તે પ્રકારે કરી શકે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈને રણધીર કપૂરે કહ્યું કે તે અમારા માટે છેલ્લી ગણેશ ચતુર્થીની ઉજવણી હતી. મારા પિતાજીએ 70 વર્ષ પહેલા આ પરંપરા શરૂ કરી હતી અને તે ગણેશજીને ખુબ પ્રેમ પણ કરતા હતા. હવે અમારી પાસે જગ્યા જ નથી તો અમે આર.કે.સ્ટુડિયો જેવી ઉજવણી ક્યા કરીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમે ગણેશજીને ખુબ પ્રેમ કરીએ છીએ અને અમારી તેમનામાં શ્રદ્ધા પણ છે પણ મને લાગે છે કે અમે આ પરંપરાને આગળ નથી વધારી શકતા. ઉલ્લેખનીય છે કે આર.કે.સ્ટુડિયોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી અને હોળીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. આ ઉજવણી આખા દેશમાં જાણીતી છે પણ સમયની સાથે વસ્તુઓ બદલાતી રહે છે અને હવે હોળી પછી ગણેશચતુર્થીની પણ ઉજવણી નહી થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગણેશ ચતુર્થી દરમિયાન આર.કે.સ્ટુડિયોમાં પંડાલ લગાવવામાં આવતો હતો અને હવે આખો દિવસ લોકો આવતા રહેતા હતા. ગણેશ ચતુર્થીના છેલ્લા દિવસે ગણેશજીનું ખુબ ધૂમધામની સાથે વિસર્જન કરવામાં આવતુ હતું. રણધીર કપૂર, રાજીવ કપૂર, ઋષિ કપૂર આ ઉત્સવમાં ખુબ જોરશોરથી ભાગ લેતા હતા.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article