‘PM મોદીને લોકો ભગવાન માને છે, સન્માન કરવું જ પડશે’, ‘જનરેશન ગટર’ ટિપ્પણી પર ઘેરાયેલ કંગના રનૌતે આપી ‘સફાઈ’

પોતાના બોલકા અંદાજ માટે જાણીતા ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓ સામે થઈ રહેલા વિરોધ પર તેમણે એક વીડિયો શેર કરીને પોતાની વાત સ્પષ્ટ કરી છે.

PM મોદીને લોકો ભગવાન માને છે, સન્માન કરવું જ પડશે, જનરેશન ગટર ટિપ્પણી પર ઘેરાયેલ કંગના રનૌતે આપી સફાઈ
Image Credit source: AI Generated
| Updated on: Jul 29, 2026 | 5:54 PM

અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. યુવાન હિંદુ મહિલાઓની જીવનશૈલી અને ભાષા પર ટિપ્પણી કરતા તેમને ‘જેનરેશન ગટર’ કહેવા પર જ્યારે વિવાદ ઘેરો બન્યો, ત્યારે કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો રીલ શેર કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી.

તેમણે આ સમગ્ર ઘટનાક્રમ પર મીડિયા અને ફેમિનિસ્ટો પર તીખો હુમલો બોલ્યો છે, વધુમાં, તેમણે ભારતીય સમાજમાં સિવિક સેન્સ અને સાંસ્કૃતિક મર્યાદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, અશ્લીલતા કે અસભ્યતા માટે કોઈ જગ્યા નથી. તેને છોડીને જો મર્યાદામાં ન રહી શકાતું હોય તો રૂમ સુધી જ સીમિત રહેવું પડશે.

તેમણે એ પણ કહ્યું કે, પીએમ મોદીને કેટલાક બાળકો પોતાના ‘એક્ઝામ બડી’ માને છે, જ્યારે ઘણા લોકો તેમને પોતાના નેતા, પોતાના આરાધ્ય માને છે, તો કેટલાક લોકો તેમને ભગવાન માને છે, તેથી લોકોની લાગણીઓનું સન્માન કરવું જ પડશે.

મીડિયા પર સાધ્યું ‘નિશાન’ અને સ્પષ્ટ કરી પોતાની ‘મંશા’

પોતાના ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં કંગનાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, તેમના નિવેદનને તોડી-મરોડીને માત્ર TRP અને ફોલોઅર્સ મેળવવાના હેતુથી બતાવવામાં આવી રહ્યા છે. તેમણે ફરિયાદ કરી કે, મીડિયાએ સ્કાયરુટ પ્રોગ્રામની સફળતા પર તેમના અભિનંદન અને નીટ (NEET) પરીક્ષાર્થીઓને આપેલી શુભેચ્છાઓ જેવા સકારાત્મક મેસેજને નજરઅંદાજ કરી દીધા.

પોતાની ટિપ્પણીનો બચાવ કરતા કંગનાએ કહ્યું કે, ‘આપણે નથી ઈચ્છતા કે, આપણા ઘરના બાળકોને કોઈ અશ્લીલ શબ્દો સાથે જોડીને તેમનું શારીરિક/માનસિક શોષણ કરે, જેનાથી ઘરના વડીલો સામે શરમ અનુભવવી પડે. આપણે આ પ્રકારના વર્તનને ક્યારેય સ્વીકારીશું નહીં અને ન તો તેને સામાન્ય બનવા દઈશું.’

‘ફેમિનિઝમ’ અને શિસ્ત પર ખુલ્લીને બોલ્યા ‘સાંસદ’

કંગનાએ તે નારીવાદીઓ પર પણ સવાલો ઉઠાવ્યા, જેઓ મહિલાઓ પર ‘મર્યાદા અને ગરિમાનો બોજ’ નાખવાનો વિરોધ કરી રહ્યા હતા. કંગનાએ કડક શબ્દોમાં પૂછ્યું કે, શું કોઈ માતા-પિતા પોતાની દીકરીઓને આવું વર્તન શીખવશે? તેમણે સ્પષ્ટ કર્યું કે, શિસ્તમાં રહેવું એ કોઈ વ્યક્તિગત પસંદગી કે વિકલ્પ નથી પરંતુ સમાજનો એક અવિભાજ્ય અંગ છે.

તેમણે કહ્યું, ‘જો તમારે સમાજમાં રહેવું હોય તો બંધારણ અને નિયમો મુજબ ચાલવું પડશે. તમારી સ્વતંત્રતા ત્યાં પૂરી થાય છે, જ્યાં બીજી વ્યક્તિનું નાક અને કાન શરૂ થાય છે.’ તેમના મતે સ્વતંત્રતાનો અર્થ એ નથી કે, બીજાની લાગણીઓ કે સામાજિક માળખાને ઠેસ પહોંચાડવામાં આવે.

પ્રધાનમંત્રી અને નાગરિક જાગૃતિની જરૂરિયાત

જાહેર જીવનમાં વપરાતી ભાષા અને વર્તન પર વાત કરતા કંગનાએ કહ્યું કે, કોઈ અજાણી વ્યક્તિ કે તેના પરિવારને અપશબ્દો કહેવા એ કઈ ‘કૂલ’ હોવું નથી. દેશના વડાપ્રધાનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, બાળકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના એક્ઝામ બડી માને છે, જ્યારે ઘણા લોકો તેમને પોતાના નેતા, મિત્ર કે ભગવાનનું રૂપ માને છે. આવા સમયે કોઈની જનભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈની પાસે નથી. તેમણે કહ્યું કે, બીજાઓનું સન્માન કરવું અને ભાષામાં ગરિમા જાળવી રાખવી એ એક બેસિક સિવિક સેન્સ છે, જે દરેક નાગરિકે શીખવી જ પડશે.

‘ફેમિનિઝમ’ ને ગણાવ્યું ભટકાઉ, આપી ભાવી જીવનની ચેતવણી

કંગનાએ યુવાનોને ચેતવણી આપી હતી કે, તેઓ “ફેમિનાઝી” વિચારસરણીના પ્રભાવમાં આવીને પોતાનું જીવન બરબાદ ન કરે. તેમણે કહ્યું કે, આ પ્રકારનું અભદ્ર વર્તન માત્ર પોતાના બંધ રૂમ સુધી જ સીમિત રાખી શકાય છે. બહાર જાહેર જીવનમાં સૌએ એક નિશ્ચિત સીમા અને મર્યાદામાં રહેવું પડશે, નહીંતર તેમનું ભવિષ્ય અંધકારમય થઈ જશે.

તેમણે વિજ્ઞાનનો હવાલો આપતા કહ્યું કે, માનવ જીવનનો આધાર ઉત્ક્રાંતિ (ઇવોલ્યુશન) છે પરંતુ ઉગ્ર નારીવાદી વિચારસરણી યુવાનોને પ્રાણીઓ જેવી પ્રવૃત્તિઓ તરફ ધકેલી રહી છે, જેનો અંત માત્ર જેલ અથવા પતન હોઈ શકે છે. કંગનાએ સૌના વિકાસ અને સદ્બુદ્ધિની કામના કરતા ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પણ પાઠવી.

જંતર-મંતર પ્રદર્શન અને Gen Z પર પહેલા પણ સાધ્યું હતું ‘નિશાન’

નોંધનીય છે કે, આ વિવાદ તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર થયેલા ‘જેન ઝી’ (Gen Z) ના વિદ્યાર્થી પ્રદર્શનો પછી શરૂ થયો હતો. 20 જુલાઈના રોજ ‘ચલો સંસદ’ માર્ચ દરમિયાન પોલીસ કાર્યવાહી પછી ઘણા વાંધાજનક અને અભદ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના પર દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા પ્લેટફોર્મ્સને તેમને હટાવવાના નિર્દેશ આપ્યા હતા.

તે વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કંગનાએ પહેલા પણ લખ્યું હતું કે, તેમણે પોતાના જીવનમાં એક જ જગ્યાએ આટલી અભદ્રતા ક્યારેય નથી જોઈ અને તે રીલ્સમાં વપરાયેલી ભાષા તેમના માટે ખૂબ જ નિરાશાજનક હતી. આ નિવેદન પછીથી જ તેમના અને સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે વાગ્યુદ્ધ ચાલી રહ્યું છે.

Breaking News: LPG સપ્લાયને લઈને ભારત સરકારનો ‘મોટો નિર્ણય’, ભવિષ્યની અછતથી બચવા માટે ઘડાયો આ ખાસ ‘માસ્ટરપ્લાન’

Follow Us
Loading...
Unable to load recommendations.