જમ્મૂકાશ્મીરના કુલગામમાં આતંકીઓનો મોટો હુમલો, ભાજપના 3 કાર્યકર્તાઓની ગોળી મારી હત્યા

|

Oct 29, 2020 | 11:33 PM

જમ્મૂ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના 3 નેતાઓની ગોળી મારી હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ આ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે ભાજપના 3 નેતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. જમ્મૂકાશ્મીરના પોલીસ અધિકારીઓ મુજબ પોલીસને સાંજે 8 વાગ્યે સૂચના મળી કે કુલગામમાં આતંકીઓએ ભાજપના 3 નેતાઓ પર હુમલો કર્યો. Police have registered a […]

જમ્મૂકાશ્મીરના કુલગામમાં આતંકીઓનો મોટો હુમલો, ભાજપના 3 કાર્યકર્તાઓની ગોળી મારી હત્યા

Follow us on

જમ્મૂ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના 3 નેતાઓની ગોળી મારી હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ આ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે ભાજપના 3 નેતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. જમ્મૂકાશ્મીરના પોલીસ અધિકારીઓ મુજબ પોલીસને સાંજે 8 વાગ્યે સૂચના મળી કે કુલગામમાં આતંકીઓએ ભાજપના 3 નેતાઓ પર હુમલો કર્યો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મૃત્યુ પામેલા ભાજપ નેતાઓની ઓળખ ફિદા હુસૈન, ઉમર રાશીદ બેઘ અને ઉમર રમજાન તરીકે થઈ છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારને પોલીસે અને સેનાએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જમ્મૂ કાશ્મીરમાં ભાજપના નેતાઓની હત્યા થઈ ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article