જમ્મૂ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના 3 નેતાઓની ગોળી મારી હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ આ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે ભાજપના 3 નેતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. જમ્મૂકાશ્મીરના પોલીસ અધિકારીઓ મુજબ પોલીસને સાંજે 8 વાગ્યે સૂચના મળી કે કુલગામમાં આતંકીઓએ ભાજપના 3 નેતાઓ પર હુમલો કર્યો.
Police have registered a case in this regard under relevant sections of law. An investigation is in progress. The area has been cordoned off and search in the area is going on: Jammu and Kashmir Police#TV9News
— tv9gujarati (@tv9gujarati) October 29, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મૃત્યુ પામેલા ભાજપ નેતાઓની ઓળખ ફિદા હુસૈન, ઉમર રાશીદ બેઘ અને ઉમર રમજાન તરીકે થઈ છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારને પોલીસે અને સેનાએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જમ્મૂ કાશ્મીરમાં ભાજપના નેતાઓની હત્યા થઈ ચૂકી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો