AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: ગૃહ પ્રધાન અમિત શાહે પુલવામાના 40 શહીદોને શ્રદ્ધાંજલિ આપી, CRPF કેમ્પમાં રાત વિતાવી

અમિત શાહે મંગળવારે 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી

Jammu Kashmir: ગૃહ પ્રધાન અમિત શાહે પુલવામાના 40 શહીદોને શ્રદ્ધાંજલિ આપી, CRPF કેમ્પમાં રાત વિતાવી
Home Minister Amit Shah pays homage to 40 martyrs of Pulwama
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:56 AM
Share

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. ત્રણ દિવસના પ્રવાસે અહીં પહોંચેલા ગૃહમંત્રીએ સોમવારની રાત CRPF કેમ્પમાં વિતાવી. તેમણે ગઈકાલે કહ્યું હતું કે, “તેઓ અહીં કાશ્મીરના યુવાનો સાથે સીધી વાત કરવા આવ્યા છે.” 

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરની સીમમાં આવેલા જેવાનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ શહીદ દિવસના અવસર પર કહ્યું કે, ઘણી મસ્જિદોમાંથી લઘુમતીઓની સુરક્ષા માટે આહ્વાન કરવામાં આવી રહ્યું છે, જે એક પ્રશંસનીય પગલું છે. રાજ્યમાં ભયનું વાતાવરણ સર્જનારાઓ સાથે કામ કરવા માટે ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આંકડાઓ અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના 1600 જવાનોએ આતંકવાદ સામેની લડાઈમાં બલિદાન આપ્યું છે. આ બલિદાન માટે સમગ્ર દેશ ઋણી છે. 

અમિત શાહ પહેલા શહીદના ઘરે પહોંચ્યા

કાશ્મીર પહોંચતા જ ગૃહમંત્રી અમિત શાહ પહેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મી પરવેઝ ડારના ઘરે પહોંચ્યા અને પરિવારના સભ્યોને મળ્યા. શહીદના પરિવારજનોને સંવેદના આપતા અમિત શાહે કહ્યું કે આખો દેશ તમારી સાથે છે અને તમારે પોતાને ક્યારેય એકલા ન માનવા જોઈએ. ડાર અને J&K પોલીસના સર્વોચ્ચ બલિદાનને રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે.’ તેમણે દારની પત્નીને સરકારી નોકરી અને તમામ શક્ય મદદનું વચન પણ આપ્યું હતું. રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે અને કાશ્મીરમાં 11 નાગરિકોની હત્યા બાદ તેમની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે. 

ગૃહમંત્રી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરે છે

આ પછી ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. સૂત્રોને ટાંકીને સુરક્ષા એજન્સીઓએ તે પ્રશ્નો પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ ક્ષેત્રમાં ભારતીય દળોની મોટા પાયે તૈનાતી અને સરકાર દ્વારા વ્યાપક પ્રયાસો, કટ્ટરપંથી અને ઘરેલું આતંકવાદનો ખતરો સતત વધી રહ્યો છે.

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">