આના એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે પૂંચના બહેરામગાલા વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મંગળવારે વહેલી સવારે ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ કર્યું જેમાં આતંકવાદીનું મોત થયુ.
AK-47 સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી
એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-47 રાઈફલ, ચાર મેગેઝીન અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સોમવારે શ્રીનગરની બહારના વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
અગાઉ પુલવામામાં આતંકવાદી માર્યો ગયો હતો
રવિવારે પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બરગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.