જમ્મુ અને કાશ્મીરના ( Jammu Kashmir રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ( National Highway ) પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડયા બાદ શરૂ થયેલ બચાવ કામગીરીનો અંત આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી નવ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ રીતે શનિવાર સુધી આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ પછી કામદારો અહીં અટવાયા હતા. રામબન ( Ramban ) ના ડેપ્યુટી કમિશનર મુસરરત ઈસ્લામે જણાવ્યું કે, તમામ 10 મૃતદેહો મળી આવ્યા છે અને મૃતકોના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. મૃતક 10માંથી પાંચ પશ્ચિમ બંગાળ ( West Bengal )ના રહીશ છે. આ અકસ્માતમાં બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
રામબનના એસએસપી મોહિતા શર્માએ શનિવારે બપોરે કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં નવ મૃતદેહો કાઢવામાં આવ્યા છે, કદાચ એક લાશ બાકી છે. આ 9 મૃતકોમાંથી પાંચ પશ્ચિમ બંગાળના, એક આસામના, બે નેપાળના અને બે સ્થાનિક હતા. બેદરકારી બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુમ થયેલા તમામ મજૂરોના મૃતદેહો મળી આવતાં બે દિવસથી ચાલતું બચાવ કાર્ય શનિવારે મોડી સાંજે સમાપ્ત થયું હતું. આ ઘટના પછી તરત જ, ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે, બચાવ ટીમોએ ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે રામબન જિલ્લાના ખૂની નાલા ખાતે નિર્માણાધીન ટનલનો એક ભાગ પ્રોજેક્ટ પર કામ શરૂ થયા પછી તરત જ તૂટી પડ્યો હતો. પરંતુ શનિવારે, રામબનના ડેપ્યુટી કમિશનર મુસરત ઈસ્લામે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને ટાંકીને જણાવ્યું હતું કે T4 સુધી ટનલના દ્વાર પર ભૂસ્ખલન થયું હતું.
ડેપ્યુટી કમિશનર મુસરત ઈસ્લામે ટ્વીટ કર્યું, ‘NHAI દ્વારા સ્પષ્ટતા કરાઈ છે આથી જણાવવામાં આવે છે કે ખૂની નાલા પાસે કોઈ ટનલ નથી. ગુરુવારે રાત્રે T4 સુધીટનલના દ્વાર પર ભૂસ્ખલન થયું હતું. અહીં મજૂરો કામ કરતા હતા. ઓપરેશન ચાલુ છે.” શુક્રવારે, એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બે સ્થાનિકો સહિત બચાવેલા ત્રણની સ્થિતિ નિયંત્રણમાં છે. શનિવારે, કેટલાક કલાકોની શોધખોળ પછી, અન્ય એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. ખડકોની નીચેથી મૃતદેહને બહાર કાઢવામાં બચાવકર્તાઓને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળથી વધુ આઠ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પત્થરો પડવાથી મજૂરોના મોત થયા છે.
ડેપ્યુટી કમિશનરે કહ્યું, “બચાવ કર્મચારીઓ દ્વારા એક દિવસની શોધ દરમિયાન, સુરંગના દ્વારની બહાર ભૂસ્ખલન પછી તમામ ગુમ થયેલા મજૂરોના મૃતદેહ મળી આવ્યા હતા. શુક્રવારે એક મૃતદેહ મળી આવ્યો હતો અને ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. શનિવારે વધુ નવ મૃતદેહો મળી આવ્યા હતા. ઈસ્લામે જણાવ્યું હતું કે તમામ મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રેડ ક્રોસ ફંડમાંથી 25,000 રૂપિયા અને કંપની તરફથી 25,000 રૂપિયાની તાત્કાલિક એક્સ-ગ્રેશિયા બે સ્થાનિક મજૂરોના પરિવારોને આપવામાં આવી રહી છે. મૃતકોમાં સ્થાનિક એવા બંને મજૂરોનો સમાવેશ થાય છે. બાકીના મૃતકોમાં પશ્ચિમ બંગાળ, નેપાળ અને આસામના મજૂરોનો સમાવેશ થાય છે.