જમ્મુ અને કાશ્મીર: પૂંછમાં એક JCO અને એક જવાનનો મૃતદેહ મળ્યો, અત્યાર સુધી નવ સૈનિકો થયા શહીદ

|

Oct 16, 2021 | 11:13 PM

જમ્મુ -કાશ્મીરમાં સેનાના નવ જવાનોની હત્યામાં સામેલ આતંકવાદીઓને શોધવા માટે પૂંચ અને રાજૌરી જિલ્લાના જંગલ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શનિવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યું.

જમ્મુ અને કાશ્મીર: પૂંછમાં એક JCO અને એક જવાનનો મૃતદેહ મળ્યો, અત્યાર સુધી નવ સૈનિકો થયા શહીદ
9 soldiers martyred in Jammu and Kashmir. (file photo)

Follow us on

જમ્મુ -કાશ્મીરમાં સેનાના નવ જવાનોની હત્યામાં સામેલ આતંકવાદીઓને શોધવા માટે પૂંચ અને રાજૌરી જિલ્લાના જંગલ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શનિવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યું. અધિકારીઓએ જણાવ્યું કે, જલદી જ સેના અને પોલીસની સંયુક્ત સર્ચ ટીમે પૂંચના મેંઢર વિસ્તારમાં ફરી ઓપરેશન શરૂ કર્યું, ગોળીબારનો અવાજ પણ સંભળાયો.

એવું કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેનાના સુબેદાર અજય સિંહ અને નાયક હરેન્દ્ર સિંહ પણ શહીદ થયા છે. શનિવારે મેંઢર વિસ્તારમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. સુબેદાર અજય સિંહ અને નાયક હરેન્દ્ર સિંહ જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાવા માટે સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા સર્ચ ઓપરેશનનો ભાગ હતા. 14 ઓક્ટોબરથી બંને જવાનોનો સંપર્ક થઈ શક્યો નથી.

અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તાર પર્વતીય છે અને જંગલ ગાઢ છે, જેના કારણે કામગીરી મુશ્કેલ અને ખતરનાક બની છે. મેંઢરનો મોટો જંગલ વિસ્તાર ગુરુવારથી ચુસ્ત સુરક્ષા કવચ હેઠળ છે જ્યારે રાઈફલમેન વિક્રમ સિંહ નેગી અને યોગમ્બર સિંહ નાર ખાસ જંગલમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. બંને જવાનો ઉત્તરાખંડના હતા. આ પહેલા 11 ઓક્ટોબરે જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ વર્ષે જૂનથી પૂંછ વિસ્તારોમાં ઘૂસણખોરીના પ્રયાસો વધ્યા છે

અધિકારીઓએ જણાવ્યું કે, મેંઢરથી થાનમંડી સુધીના સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘેરાબંધીમાંથી બચવા માટે આતંકવાદીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. રાજૌરી-પૂંછ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિવેક ગુપ્તાએ મંગળવારે જણાવ્યું હતું કે પૂંછમાં સુરક્ષા દળો પર હુમલામાં સામેલ આતંકવાદીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હાજર હતા.

આ વર્ષે જૂનથી જમ્મુ ક્ષેત્રના રાજૌરી અને પૂંચ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસો વધ્યા છે. અલગ અલગ એન્કાઉન્ટરમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા છે. દરમિયાન, સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે રાઇફલમેન નેગી અને સિંહના મૃતદેહોને ઉત્તરાખંડમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જવાનોના પાર્થિવ દેહને એરપોર્ટથી વિમાન મારફતે તેમના વતન લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

Next Article