Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ યથાવત, 2 અઠવાડિયા પછી થશે સુનાવણી, SCએ સરકારને એફિડેવિટ દાખલ કરવા કહ્યું

Jahangirpuri Demolition Case: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે જહાંગીરપુરી વિસ્તારમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનની સુનાવણી કરી હતી.

જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ યથાવત, 2 અઠવાડિયા પછી થશે સુનાવણી, SCએ સરકારને એફિડેવિટ દાખલ કરવા કહ્યું
jahangirpuri demolition case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 12:27 PM

Jahangirpuri Demolition Case: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે જહાંગીરપુરી વિસ્તારમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનની સુનાવણી કરી હતી. વાસ્તવમાં, જમિયત ઉલેમા-એ-હિંદે (Ulama-e-Hind) મુસ્લિમ આરોપીઓના ઘરો તોડી પાડવા અંગે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને અરજદારે તેના પર જવાબ આપવો જોઈએ. ત્યાં સુધી યથાવત હુકમ ચાલુ રહેશે. તે જ સમયે, કોર્ટે તમામ અરજીઓ પર નોટિસ જાહેર કરી છે અને યથાવત સ્થિતિનો આદેશ ચાલુ રાખવા જણાવ્યું છે. તેમજ આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન અરજદારના વકીલ દુષ્યંત દવેએ દલીલો શરૂ કરી તો જસ્ટિસ એલ નાગેશ્વર રાવે પૂછ્યું કે આમાં રાષ્ટ્રીય મહત્વ શું છે. દવેએ કહ્યું કે, ગેરકાયદેસર એન્કાઉન્ટર પછી એક સમુદાય વિરુદ્ધ આ લક્ષ્યાંકિત બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જસ્ટિસ નાગેશ્વર રાવે કહ્યું કે તમે માત્ર કાયદાકીય ઉલ્લંઘનની વાત કરો છો.

નોટિસ વિના કાર્યવાહી કરાઈઃ દવે

એડવોકેટ દવેએ જણાવ્યું હતું કે, નોટિસ વિના કાર્યવાહી કરવામાં આવી હતી અને કોર્ટે યથાસ્થિતિનો આદેશ જાહેર કર્યો ત્યારે પણ લાંબા સમય બાદ કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા કેવી રીતે બુલડોઝર ચલાવીને અતિક્રમણ હટાવવાની માંગ કરી શકે છે અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. કેન્દ્ર દ્વારા નેશનલ કેપિટલ રિજનના માસ્ટર પ્લાનનો ઉલ્લેખ કરતાં દવેએ અતિક્રમણ કાર્યવાહીની પ્રક્રિયા સમજાવી હતી. તેમણે કહ્યું કે, આ અંતર્ગત 50 લાખ લોકોને નિયમિત કરવામાં આવ્યા હતા અને હવે એક વિસ્તારમાં એક સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

તેમણે કહ્યું કે, દિલ્હીમાં 1701 ગેરકાયદે કોલોનીઓ બનાવવામાં આવી છે જેમાં 50 લાખ લોકો રહે છે અને તેમને નિયમિત કરવામાં આવી છે. જસ્ટિસ નાગેશ્વરે કહ્યું કે, તમે રેગ્યુલરાઈઝેશન વિશે કહ્યું, અતિક્રમણ વિશે કહો. દવેએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી ભાજપ પ્રમુખે પત્ર લખીને માંગણી કરી હતી કે, આ કાર્યવાહી કરવામાં આવે અને બધા તમારી સામે છે. પોલીસ અને સત્તા બંધારણથી બંધાયેલા છે, કોઈ પક્ષ દ્વારા બંધાયેલા નથી.

કોર્ટે ગઈકાલે બુલડોઝરની કાર્યવાહી પર સ્ટે મુક્યો હતો

ગઈકાલે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચે બપોરે મકાનો તોડી પાડવાના સંદર્ભમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે પછીના દિવસે ફરીથી દરમિયાનગીરી કરી જ્યારે તેને કહેવામાં આવ્યું કે, સત્તાવાળાઓ આ આધાર પર કાર્યવાહી અટકાવી રહ્યા નથી કે તેમને કોઈ સત્તાવાર સંદેશાવ્યવહાર મળ્યો નથી. બેંચમાં જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલી પણ સામેલ છે.

દવેએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ‘આ વાતનો ફરી ઉલ્લેખ કરતા મને દુઃખ થાય છે… મેં સવારે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ (અધિકારીઓ) નોટિસ (સ્ટોપ) ઓર્ડર આપવા છતાં ડિમોલિશન અટકાવતા નથી. તેમનું કહેવું છે કે, તેમને સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી. હું જનરલ સેક્રેટરીને વિનંતી કરું છું કે તેઓ પોલીસ કમિશનર અને ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશનરને આદેશ વિશે જણાવે. નહીં તો બહુ મોડું થઈ જશે.’ આના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, ઠીક છે. સુપ્રીમ કોર્ટના મહાસચિવ દ્વારા તાત્કાલિક આની જાણ કરો.

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
g clip-path="url(#clip0_868_265)">