Chikungunya vaccine : હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ

ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ડો.કૃષ્ણ એલ્લાએ જણાવ્યું હતું કે, પબ્લિક હેલ્થ કેરમાં મહામારીની તૈયારી એ મહત્વનું પગલું છે. ભારત બાયોટેકની વેક્સીન ઘણા સંશોધન બાદ તૈયાર કરવામાં આવી છે.

Chikungunya vaccine : હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ
Chikungunya vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 1:31 PM

આંતરરાષ્ટ્રીય રસી સંસ્થા (IVI) અને ભારત બાયોટેકે ( bharat Biotech) બુધવારે ચિકનગુનિયાની (Chikungunya )રસીનું 2 અને 3 તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. IVI ભારત બાયોટેકની ભાગીદારીમાં ગ્લોબલ ચિકનગુનિયા વેક્સીન ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (GCCDP) કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહ્યું છે. આ કાર્યક્રમ કોલિશન ફોર એપિડેમિક પ્રિપેરેડનેસ ઇનોવેશન (CEPI) ને ભારત બાયોટેક્નોલોજી વિભાગના Ind-CEPI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ઇન્ટરનેશનલ વેક્સીન ઇન્સ્ટિટ્યૂટએ કહ્યું છે કે તે આ 2/3 ફેઝના ટ્રાયલ દ્વારા ચિકનગુનિયા રસી BBV87 ની ક્લિનિકલ ટ્રાયલ આગળ વધારી રહી છે. આ ટ્રાયલ 5 દેશોમાં 9 સ્થળોએ કરવામાં આવશે, જેમાં તંદુરસ્ત પુખ્ત વયના લોકોને બે ડોઝ આપવામાં આવશે અને તેની સલામતી અને અસરકારકતાની ખાતરી કરવામાં આવશે. કોસ્ટારિકા ઉપરાંત સપ્ટેમ્બરમાં પનામા, કોલંબિયા, થાઈલેન્ડ અને ગ્વાટેમાલામાં તેના ટ્રાયલ થવાની અપેક્ષા છે.

ઓફિસિયલ પ્રેસરીલિઝ અનુસાર, BBV87 રસીની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. ભારતમાં ફેઝ -1 ક્લિનિકલ ટ્રાયલમાં રસીના ખૂબ જ સકારાત્મક પરિણામો આવ્યા હતા. આ વેક્સીન વાયરસના નિષ્ક્રિય ભાગને લઈને વિકસિત પદ્ધતિ પર આધારિત છે. આ રસી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને ગર્ભવતી મહિલાઓ માટે સલામત છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કોસ્ટારિકામાં ફેઝ -2માં લગાવવામાં આવી વેક્સીન

IVI ના એક્ટિંગ એસોસિયેટ ડાયરેક્ટર જનરલ સુશાંત સહસ્ત્રબુદ્ધે જણાવ્યું હતું કે, ડો.કોસ્ટા રિકામાં શરૂ થયેલી આ ટ્રાયલ ખૂબ મહત્વની છે, કારણ કે સલામત રસી દ્વારા તે વિશ્વભરમાં ચિકનગુનિયા વાયરસના ચેપનું જોખમ ધરાવતી 1 અબજ વસ્તી માટે આ વેક્સીન ઉપલબ્ધ થશે. આ સામૂહિક પ્રયાસ માટે અમે અમારા ભાગીદાર ભારત બાયોટેક અમારા ક્લિનિકલ ટ્રાયલ સાઇટ ભાગીદારો અને CEPI ના આભારી છીએ. ઘણા દેશમાં ફેઝ 2 અને 3માં ચિકનગુનિયા વિરુદ્ધ BBV87 વેક્સીન લગાડવામાં આવી છે.

તે જ સમયે ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ડો. કૃષ્ણા એલાએ કહ્યું હતું કે, પબ્લિક હેલ્થ કેરમાં ભારત બાયોટેકની રસી ઘણા સંશોધન પછી તૈયાર કરવામાં આવી છે અને અમે આ ટ્રાયલમાં ભાગ લેવા માટે કોસ્ટા રિકાના પ્રથમ વૉલીયનટરનો આભાર માનીએ છીએ. આઇવીઆઇની આગેવાની હેઠળના ઘણા દેશોમાં આ ક્લિનિકલ ટ્રાયલ રસીની સલામતી અને અસરકારકતાના મૂલ્યાંકન માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે.

ચિકનગુનિયા માદા એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તે તાવ, સાંધાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, થાક, ફોલ્લીઓ જેવા લક્ષણોનું કારણ બને છે. આંતરરાષ્ટ્રીય રસી સંસ્થાના જણાવ્યા અનુસાર, વિશ્વના 43 દેશોમાં ચિકનગુનિયાના 34 લાખથી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ભારતીય કૃષિ પેદાશોની નિકાસમાં થયો વધારો, પ્રથમ ત્રિમાસિક ગાળામાં APEDA હેઠળ 4.81 અબજ ડોલરની થઈ નિકાસ

આ પણ વાંચો :PM Kisan FPO Yojana: ખેતી સાથે જોડાયેલો ધંધો કરવા માટે સરકાર આપી રહી છે પૈસા, જાણો યોજના વિશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">