કાશ્મીરમાં આતંકી હુમલાની માહિતીઃ આ બે એરબેઝને એલર્ટ કરી દેવાયા, અગાઉ પઠાણકોર્ટમાં થયો હતો હુમલો
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ મોટો હુમલો કરે તેવી આશંકા સેવાઈ રહી છે. જેથી જાણકારીને પગલે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને એલર્ટ કરવામાં આવ્યા છે. કેમ કે શંકા છે કે આતંકીઓ એરબેઝને નિશાન બનાવી શકે છે. જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ દ્વારા આતંકીઓની સામે સતત ચલાવવામાં આવી રહેલા અભિયાનથી ગભરાયેલા આતંકી હવે વાયુસેના એરબેઝને નિશાન બનાવી […]
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ મોટો હુમલો કરે તેવી આશંકા સેવાઈ રહી છે. જેથી જાણકારીને પગલે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને એલર્ટ કરવામાં આવ્યા છે. કેમ કે શંકા છે કે આતંકીઓ એરબેઝને નિશાન બનાવી શકે છે. જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ દ્વારા આતંકીઓની સામે સતત ચલાવવામાં આવી રહેલા અભિયાનથી ગભરાયેલા આતંકી હવે વાયુસેના એરબેઝને નિશાન બનાવી શકે છે.
સમાચાર એજન્સી ANIની માહિતી અનુસાર, ઇન્ટેલિજેન્સ ઇનપુટ મળ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકીઓએ પંજાબના પઠાનકોટમાં પણ ભારતીય વાયુસેના એરબેઝને નિશાન બનાવ્યું હતું. 2 જાન્યુઆરી 2016ના પાકિસ્તાની આતંકી પઠાનકોટ એરબેઝમાં ઘૂસી ગયા હતા. કલાક સુધી ચાલેલા આ આપરેશનમાં ભારતીય સુરક્ષા દળએ 4-5 આતંકવાદીઓ માર્યા હતા. આ હુમલામાં એક નાગરીકનું મોત થયું હતું જ્યારે 7 જવાન શહીદ થયા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]