
ભારતમાં દર વર્ષે કરોડો વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ અને સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપે છે. આ પરીક્ષાઓને નિષ્પક્ષ, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ એજન્સીની રચના કરવામાં આવી હતી, જેને આપણે NTA (National Testing Agency) તરીકે ઓળખીએ છીએ. પરંતુ, જે એજન્સીને પેપર લીક અને ગેરરીતિઓ રોકવા માટે બનાવવામાં આવી હતી, આજે તે પોતે જ કરોડો વિદ્યાર્થીઓના આક્રોશનો સામનો કરી રહી છે.
NTA નું પૂરું નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી) છે. તે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી એક સંપૂર્ણ સ્વાયત્ત (સ્વતંત્ર) પરીક્ષા સંસ્થા છે. આ એજન્સીની સ્થાપના વર્ષ 2017 માં કરવામાં આવી હતી. આ પહેલાં અલગ-અલગ સંસ્થાઓ વિવિધ પરીક્ષાઓ યોજતી હતી, જેના કારણે વ્યવસ્થા પર સવાલો ઉઠતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે એક પ્રોફેશનલ એજન્સી તરીકે NTA ની શરૂઆત કરી.
પહેલાની પરીક્ષા પદ્ધતિમાં વહીવટી તંત્રને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, જેમ કે:
સરકારનો ઉદ્દેશ્ય આ બધી ખામીઓને દૂર કરી એક એવી સિસ્ટમ બનાવવાનો હતો જે સમયસર અને ડિજિટલ મોડમાં સચોટ મૂલ્યાંકન સાથે પરીક્ષા પૂર્ણ કરી શકે.
જ્યારથી NEET પેપર લીકનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી છે કે આ સંસ્થા બીજી કઈ પરીક્ષાઓ લે છે. NTA દેશની આ ૫ મોટી રાષ્ટ્રીય પરીક્ષાઓનું સંચાલન કરે છે:
NTA મોટે ભાગે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) એટલે કે ડિજિટલ માધ્યમથી પરીક્ષાઓ લે છે, જેથી પરિણામ જલ્દી આવે અને ગેરરીતિ અટકે.
આ ઉપરાંત સંસ્થાની મુખ્ય જવાબદારીઓમાં નીચેની બાબતો શામેલ છે:
આધુનિક સિસ્ટમ હોવા છતાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ નડે છે, જેમ કે પરીક્ષા દરમિયાન અચાનક સર્વર ડાઉન થઈ જવું, ટેકનિકલ ખામીઓ આવવી, પરીક્ષા કેન્દ્રો ઘરથી ઘણા દૂર હોવા અને સૌથી મોટો પડકાર એટલે પેપર લીકના આક્ષેપો.
3 મે 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં દેશભરના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું લઈને બેઠા હતા. પરંતુ પરીક્ષાના થોડા જ દિવસોમાં પેપર લીક થયાની પુષ્ટિ કરતા સમાચારોએ દેશને હચમચાવી દીધો. આ ઘટનાના માત્ર 9 દિવસ બાદ આખી પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લેવાયો. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીબીસી (CBC) (Central Bureau of Communication)ને સોંપવામાં આવી અને તાત્કાલિક ધરપકડનો દોર શરૂ થયો. આ ઘટનાથી દેશની મેડિકલ પ્રવેશ પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે 15 મેના રોજ નીટ યુજી 2026 ની રી-એક્ઝામની તારીખ જાહેર કરી દીધી છે. આ પરીક્ષા 21 જૂના રોજ યોજાશે. આ માટે ફરીથી એક્ઝામ સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ જાહેર કરાશે, જેની માહિતી પરીક્ષાના થોડા દિવસ પહેલા આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓએ ન નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે કે ન તો કોઈ ફી ચૂકવવી પડશે.