ગુજરાત સહિત દેશભરમાં દોડતી ટ્રેનો મોડી ન પડે તે માટે રેલવેએ ઝીરો બેઝ ટાઈમ ટેબલ લાગુ કરવાની કવાયત હાથ ધરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે અનેક ડેમુ-મેમુ ટ્રેનોને બંધ કરવાની સાથે અનેક પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસ બનાવાશે. 1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઈમ ટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી શક્યતા છે. જ્યારે અનેક સ્ટોપેજ રદ થવાની સાથે ટ્રેનના ભાડાં પણ વધશે. આગામી સમયમાં શરૂ થનાર ખાનગી ટ્રેનોની સાથે અન્ય મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ મોડી ન પડે તે માટે અનેક સ્ટોપેજ રદ કરી ટ્રેનોની સ્પીડ વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ સહિત ગુજરાતની 30 જેટલી પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસમાં તબદીલ કરવા મંજૂરી આપી દીધી છે. કોરોનાના સમયમાં રેગ્યુલર ટ્રેનોનું સંચાલન બંધ છે, ત્યારે રેલવેએ નવું સમયપત્રક તૈયાર કરવા પર ધ્યાન આપ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો