AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે ખાનગી કંપનીઓને ટ્રેનની જવાબદારી આપવાની તૈયારીઓમાં, મુસાફરોને કરવામાં આવશે આ અપીલ

IRCTC હવે ટ્રેન પણ ચલાવશે તેના માટે ભારતીય રેલવે ખાનગી કંપનીઓને જવબાદારી આપવાની તૈયારીઓમાં છે. ટ્રેનોનું સંચાલન ઓછી વસ્તી અને પર્યટનથી જોડાયેલા રૂટો પર થશે. રેલવે બોર્ડના દસ્તાવેજો મુજબ આવનારા 100 દિવસોમાં ટ્રેનોની જવાબદારી ખાનગી કંપનીઓને આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જો યોજના મુજબ કામ થશે તો પ્રયોગ તરીકે શરૂઆતમાં રેલવે IRCTCને 2 ટ્રેનોનું સંચાલન […]

રેલવે ખાનગી કંપનીઓને ટ્રેનની જવાબદારી આપવાની તૈયારીઓમાં, મુસાફરોને કરવામાં આવશે આ અપીલ
| Updated on: Jun 19, 2019 | 6:08 AM
Share

IRCTC હવે ટ્રેન પણ ચલાવશે તેના માટે ભારતીય રેલવે ખાનગી કંપનીઓને જવબાદારી આપવાની તૈયારીઓમાં છે. ટ્રેનોનું સંચાલન ઓછી વસ્તી અને પર્યટનથી જોડાયેલા રૂટો પર થશે. રેલવે બોર્ડના દસ્તાવેજો મુજબ આવનારા 100 દિવસોમાં ટ્રેનોની જવાબદારી ખાનગી કંપનીઓને આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

જો યોજના મુજબ કામ થશે તો પ્રયોગ તરીકે શરૂઆતમાં રેલવે IRCTCને 2 ટ્રેનોનું સંચાલન કરવાની જવાબાદારી આપશે. ટિકિટ અને ઓન બોર્ડ સેવા IRCTC દ્વારા આપવામાં આવશે અને તેના બદલામાં રેલવેને એક સાથે રકમ મળશે. આ ટ્રેનો ઓછી વસ્તી ધરાવતા અને મહત્વપૂર્ણ પર્યટન સ્થળ પર સંચાલિત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કયા રૂટ અને પર્યટન સ્થળ સંચાલિત થશે તેનો નિર્ણય રેલવે જ કરશે. આ ટ્રેન સ્વર્ણિમ ચતુર્ભુજ અને મોટા શહેરની મુસાફરી નક્કી કરશે. તે સિવાય રેલવે ટ્રેનના રેક્સની જવાબદારી પણ IRCTCને આપશે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવ દ્વારા રેલવેના અધિકારીઓને પત્ર લખીને તેના વિશેની જાણકારી પણ આપવામાં આવી છે.

રેલવે ખાનગી કંપનીઓને તેમની ઈચ્છા જાહેર કરવાની તક આપશે, જેથી જાણી શકાય કે રાત-દિવસ ચાલતી આ ટ્રેનો માટે કઈ-કઈ કંપનીઓ ઈચ્છુક છે. ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપતા પહેલા ટ્રેડ યૂનિયનો સાથે સંપર્ક કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેની સાથે જ રેલવે મુસાફરોને મોટા પ્રમાણમાં સબસિડી છોડવાની અપીલ કરવાની તૈયારીમાં છે. તેના માટે રેલવે ટિકિટ ખરીદતા અને બુક કરતા સમયે સબિસીડી છોડવાની અપીલ કરવામાં આવશે. મુસાફરો માટે વિકલ્પ હશે કે તે સબસિડી છોડે અથવા ના છોડે.

આ પણ વાંચો: છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો, ડબ્બાના ભાવ 1810ની પાર પહોંચ્યા, જુઓ VIDEO

સબસિડી છોડવાની અપીલ ઉજ્જવલા યોજનાની જેમ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજનામાં મોદી સરકારે લોકોને ગેસ સિલિન્ડરમાં મળતી સબસીડી છોડવાની અપીલ કરી હતી. જેનો સરકારને મોટા પ્રમાણમાં ફાયદો મળી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">