ભારતીય સેનાનું મોટું નિવેદન- PoK લેવા માટે તૈયાર, માત્ર સરકારી આદેશની રાહ જોઈ રહ્યા છીએ

|

Nov 23, 2022 | 7:23 AM

તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સેના જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહી છે.

ભારતીય સેનાનું મોટું નિવેદન- PoK લેવા માટે તૈયાર, માત્ર સરકારી આદેશની રાહ જોઈ રહ્યા છીએ
Indian Army (File)

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે લાગેલ સેનાનું ઓપરેશન સતત ચાલુ છે. આ દરમિયાન સેના પણ પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. આ જાણકારી ખુદ સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે સેના પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. માત્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.

સ્પષ્ટ છે કે સરકાર તરફથી આદેશ આવતાની સાથે જ સેના પીઓકેને પરત લેવા માટે અભિયાન શરૂ કરશે. તેમનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહી છે. મંગળવારે પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેશનલ બોર્ડર (IB) પરથી દેશમાં ઘૂસણખોરીના અલગ-અલગ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફના પ્રવક્તાએ આ જાણકારી આપી.

સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

તેમણે કહ્યું કે એક ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો, જ્યારે બીજી ઘટનામાં બીજા ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સતર્ક સૈનિકોએ સોમવારે વહેલી સવારે જમ્મુના અરનિયા સેક્ટર અને સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અરનિયા સેક્ટરમાં સરહદી વાડ તરફ આવતા પાકિસ્તાની ઘૂસણખોરી પર બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રવક્તાએ કહ્યું, પાકિસ્તાની ઘૂસણખોરોને રોકવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ માન્યા ન હતા. આ કારણે જવાનોએ ગોળીબાર કરવો પડ્યો, જેના કારણે તેનું મોત થયું. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અન્ય એક ઘટનામાં, સૈનિકોએ રામગઢ સેક્ટરમાં વાડની નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરનાર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. ગેટ ખોલ્યા બાદ તેને ભારતીય બાજુની વાડની નજીક લાવવામાં આવ્યો હતો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. તેની પાસેથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.

Next Article