AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nijjar murder case: નિજ્જર હત્યા કેસમાં કેનેડાને ભારતે ચોપડાવી, કહ્યું જૂઠા છે PM જસ્ટિન ટ્રુડો, ભારત સરકારની સંડોવણીના તમામ આક્ષેપો વાહિયાત

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત મામલે ભારત સરકારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન ખોટું અને ભ્રામક છે. અમે કાયદાના શાસન માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જૂઠા છે અને તેમનું નિવેદન ભ્રામક છે. અમે કાયદાના શાસન માટે પ્રતિબદ્ધ છીએ. નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હટાવી દીધા છે.

Nijjar murder case: નિજ્જર હત્યા કેસમાં કેનેડાને ભારતે ચોપડાવી, કહ્યું જૂઠા છે PM જસ્ટિન ટ્રુડો, ભારત સરકારની સંડોવણીના તમામ આક્ષેપો વાહિયાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 9:11 AM
Share

Nijjar murder case: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. કેનેડા સરકારે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો.

હવે ભારત સરકારે કેનેડા સરકારને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જૂઠા છે અને તેમનું નિવેદન ભ્રામક છે. અમે કાયદાના શાસન માટે પ્રતિબદ્ધ છીએ. નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હટાવી દીધા છે.

આ પણ વાંચો: Canada News: પુજારીની હત્યા અને લાખોનું ઈનામ જેના પર હતું જાણો કોણ હતો ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર જેના માટે કેનેડાએ ભારત સામે બળવો કર્યો?

વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોનું તેમની સંસદમાં નિવેદન જોયું છે. અમે તેમના વિદેશ મંત્રી મેલાનિયા જોલીના નિવેદનને પણ નકારીએ છીએ. કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના તમામ આક્ષેપો વાહિયાત અને પ્રેરિત છે. અમે લોકશાહી દેશ છીએ અને કાયદાના શાસનમાં વિશ્વાસ કરીએ છીએ.

કેનેડાએ ખાલિસ્તાનીઓને આશ્રય આપ્યો- ભારત સરકાર

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પીએમ જસ્ટિન ટ્રુડોએ જે પ્રકારના આરોપો લગાવ્યા છે તેવો જ આરોપ તેમણે પીએમ મોદી સામે પણ રાખ્યા હતા. જેને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા. કેનેડા સરકાર દ્વારા કરવામાં આવેલા ખોટા દાવાઓ ખાલિસ્તાની અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. કેનેડાએ ખાલિસ્તાની અને ઉગ્રવાદીઓને આશ્રય આપ્યો હતો. આ તમામ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો બની ગયા છે.

PM જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?

ન્યૂઝ એજન્સી એપી અનુસાર પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તે જ સમયે, કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ કહ્યું કે જો નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોય તો તે બંને દેશો એકબીજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તેના સૌથી મૂળભૂત નિયમોનું મોટું ઉલ્લંઘન હશે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને બ્રિટનમાં બે બાઇક સવારોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કેનેડાની સુરક્ષા એજન્સીઓ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવી રહી છે. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં પણ ભારત સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">