ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો હવે 9 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે 23,500થી વધારે લોકોના અત્યાર સુધી કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 9,06,423 કેસ નોંધાયા છે, જેમાં 3,10,786 કેસ એક્ટિવ છે અને 5,71,526 કેસ રિક્વર થઈ ચૂક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2,60,924 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 1,05,638 એક્ટિવ કેસ છે અને 1,44,507 કેસ રિક્વર થઈ ચૂક્યા છે. ત્યારે તમિલનાડુમાં 1,42,798 કેસ નોંધાયા છે. ત્યારે દિલ્હીમાં 1,13,740 કેસ, ગુજરાતમાં 42,808 કેસ અને કર્ણાટકમાં 41,581 કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં સૌથી ઓછા કેસ અરૂણપ્રદેશમાં 360 કેસ, મેઘાલયમાં 316 કેસ, મિઝોરમમાં 231 કેસ અને સિક્કિમમાં 166 કેસ નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:48 pm, Mon, 13 July 20