AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,500થી વધારે નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો

Covid 19: સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,862 દર્દીઓએ કોરોના વાઈરસને હરાવી દીધો છે અને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 4,30,60,086 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,500થી વધારે નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો
PC- PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 10:31 AM
Share

દેશમાં કોરોનાના કેસ (India Covid Cases) ફરી એકવાર ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કોરોનાની ચોથી લહેરનો પણ ભય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2,541 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 30 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સક્રિય કેસની સંખ્યામાં 649નો વધારો થયો છે. હાલમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 16,522 છે. છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,22,223 થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,862 દર્દીઓએ કોરોના વાઈરસને હરાવી દીધો છે અને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 4,30,60,086 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સક્રિય કેસ કુલ કેસના માત્ર 0.04 ટકા છે, જ્યારે દેશમાં રિકવરી રેટ 98.75 ટકા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દૈનિક હકારાત્મકતા દર 0.84 ટકા નોંધવામાં આવ્યો છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.54 ટકા છે. ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 4,25,21,341 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. તે જ સમયે કોવિડ મૃત્યુ દર 1.21 ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં 187.71 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં અત્યાર સુધી થયા ઘણા મોત

દેશમાં કોવિડના કારણે મૃત્યુ પામેલા 30 લોકોમાંથી કેરળમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બે-બે લોકોના મોત થયા છે. તે જ સમયે દિલ્હી અને મિઝોરમમાં એક-એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,22,223 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,47,834, કેરળમાં 68,843, કર્ણાટકમાં 40,057, તમિલનાડુમાં 38,025, દિલ્હીમાં 26,167, ઉત્તર પ્રદેશમાં 23,505 અને પશ્ચિમ બંગાળમાં 21,201 લોકોના મોત થયા છે. મંત્રાલયનું કહેવું છે કે ભારતમાં 70 ટકા જીવ ગુમાવનારા કોરોના દર્દીઓ પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત હતા.

આ પણ વાંચો: Raisina Dialogue 2022 : પીએમ મોદી આજે રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે, 90 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે

આ પણ વાંચો: ઈમેન્યુઅલ મેક્રોન બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા, PM મોદી સહિત આ દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">