વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સ્વતંત્રતા દિવસના (Independence Day) અવસર પર પૂછ્યું કે શું આપણે ગ્લોબલ સર્ટિફિકેટને વળગી રહીશું? દેશના યુવાનોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, ‘આપણે બીજાની નકલ કરવાની જરૂર નથી, તેના બદલે આપણે પોતાની તાકાત પર ઊભા રહેવું જોઈએ અને આપણા લક્ષ્યોને પૂરા કરીશું.’ પીએમ મોદીએ કહ્યું, દુનિયાએ ભારત પ્રત્યેનો પોતાનો અભિગમ બદલવો જોઈએ. દુનિયા સમાધાન માટે ભારત તરફ જોઈ રહી છે. 130 કરોડ ભારતીયોનું કૌશલ્ય દુનિયાને આશાનું કિરણ બતાવી રહ્યું છે. પરંતુ આપણી સર્વશ્રેષ્ઠ પ્રતિભા ક્યારેક ભાષાના અવરોધોમાં ફસાઈ જાય છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસ પર ભાર મૂકે છે. આ વિશે વાત કરતા પીએમ મોદીએ લાલ કિલ્લાની પરથી કહ્યું કે, ‘આપણે આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ, પછી ભલે આપણે તેમાં નિપુણ હોઈએ કે ન હોઈએ. આપણે કોઈની સાથે આપણી સરખામણી કરવાની જરૂર નથી. આપણે અનન્ય અને તેજસ્વી છીએ.’ તેમને ભારતીય યુવાનોને એક મોટું અને સામૂહિક સ્વપ્ન જોવાનું પણ કહ્યું. પીએમ મોદીએ કહ્યું, ‘ક્યારેક આપણું ટેલેન્ટ તેનો ઇચ્છિત રસ્તો શોધી શકતું નથી. આ ગુલામીની માનસિકતાને કારણે છે અને આપણે તેમાંથી છુટકારો મેળવવો પડશે.
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે આપણે આપણી જમીન સાથે જોડાઈશું, ત્યારે જ આપણે ઉડાન ભરીશું.’ દેશના યુવાનોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘મારા દેશના યુવાનો, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરી રહ્યો હશે, ત્યારે તમે લોકો 50 વર્ષની ઉંમરે હશો.’ તેમને કહ્યું, ‘જો તમે મારી સાથે માર્ચ કરશો અને તમારા જીવનના આ સોનેરી વર્ષો મને આપો તો આપણો દેશ વિકાસશીલ દેશ બની જશે.’
તેમને દેશવાસીઓને મોટી ઈચ્છાઓ અને સામૂહિક ઈચ્છાઓ રાખવાની વિનંતી કરતાં કહ્યું, ‘આ અમૃત સમયગાળામાં આપણે એક સાથે આવવું પડશે અને વિકસિત ભારતના બીજા એક મોટા લક્ષ્યની દિશામાં કામ કરવું પડશે.’ પીએમે કહ્યું, ‘સપના અલગ હોઈ શકતા નથી, જ્યારે આપણે એક મજબૂત અને વિકસિત ભારતની શોધ કરી રહ્યા છે. સહકારી સંઘવાદની સાથે સાથે હવે આપણને સહકારી સ્પર્ધાત્મક સંઘવાદની જરૂર છે.