બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા, FIR નોંધાયાથી ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટ સુધીના કોઈપણ કેસમાં ન્યાય આપવાની જોગવાઈમાં છે.
નવા ફોજદારી કાયદાઓના અમલીકરણમાં ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરતા, અમિત શાહે રાજ્ય સરકારને 30 એપ્રિલ, 2025 સુધીમાં તમામ કમિશનરેટમાં નવા કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું.
તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રતિ મહિને, રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પખવાડિયામાં અને મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને પોલીસ મહાનિર્દેશકના સ્તરે સાપ્તાહિક સમીક્ષા થવી જોઈએ.
અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતે 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે બાકીના કેસોમાં કોર્ટ પાસેથી પરવાનગી લેવાની જોગવાઈનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે કાયદાની સમીક્ષા કરવી જોઈએ.
ગૃહ મંત્રીએ કહ્યું કે ગુજરાતે ઝીરો એફઆઈઆરને 100 % એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેમાં ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે FIR ટ્રાન્સફર કરી શકાય. ગુજરાતે CCTNS 2.0 અપનાવવું જોઈએ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજની બેઠકમાં ગુજરાતમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અનુસંધાને કેટલાક મહત્વના સુચનો કર્યા હતા.
Published On - 6:37 pm, Thu, 30 January 25