AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JK: માછિલમાં હિમસ્ખલનથી ત્રણ જવાન શહીદ, તમામ 56 RRના હતા

ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે.

JK: માછિલમાં હિમસ્ખલનથી ત્રણ જવાન શહીદ, તમામ 56 RRના હતા
Jammu Kashmir
| Updated on: Nov 18, 2022 | 9:36 PM
Share

ભારતીય સેનાના ત્રણ જવાન હિમસ્ખલનમાં ફસવાને કારણે શહીદ થયા છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે. જવાનો ફરજ દરમિયાન શહીદ થયા હતા. શહીદ જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના જણાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોના મૃતદેહોને ડ્રગમુલ્લા સ્થિત સૈન્ય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ ત્રણેય જવાનોની પોસ્ટિંગ માછિલ સેક્ટરની અલ્મોડા પોસ્ટ પર હતી, ત્યારે તેઓ હિમસ્ખલનનો ભોગ બન્યા હતા. પોલીસે કહ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સેનાના 3 જવાન શહીદ થયા છે. પોલીસે પુષ્ટિ કરી કે ત્રણેય જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાન ફરજ પર હતા ત્યારે તેઓ હિમસ્ખલનમાં ફસાઈ ગયા હતા. હિમસ્ખલનને કારણે જવાનો તેની નીચે દબાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. ઘટના ઉત્તર કાશ્મીરના કુપવાડાની છે.

શિયાળામાં વધી જાય છે હિમસ્ખલનનું જોખમ

શિયાળામાં આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવે છે. હિમવર્ષાને કારણે હિમસ્ખલનનું જોખમ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં સેનાના જવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હિમવર્ષા દરમિયાન સુરક્ષાનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડે છે અને સૈનિકોએ સતર્ક રહેવું પડે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલન થાય છે. જાન્યુઆરી મહિના દરમિયાન, હિમવર્ષા થાય છે અને હિમસ્ખલનનો ભય વધુ રહે છે. આવી જ એક ઘટનામાં જાન્યુઆરી 2020માં માછિલ સેક્ટરમાં જ સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.

અરુણાચલ પ્રદેશમાં શહીદ થયા હતા સાત જવાનો

રિપોર્ટ મુજબ અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. આ ઘટના આ વર્ષના ફેબ્રુઆરી મહિનાની છે, જ્યારે સેનાના સાત જવાન શહીદ થયા હતા. રિપોર્ટ મુજબ હિમસ્ખલનમાં માર્યા ગયેલા જવાનોની ઓળખ હવાલદાર જુગલ કિશોર, રાઈફલમેન અરુણ કટ્ટલ, રાઈફલમેન અક્ષય પઠાનિયા, રાઈફલમેન વિશાલ શર્મા, રાઈફલમેન રાકેશ સિંહ, રાઈફલમેન અંકેશ ભારદ્વાજ અને જનરલ ગુરબાજ સિંહ તરીકે થઈ હતી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">