JK: માછિલમાં હિમસ્ખલનથી ત્રણ જવાન શહીદ, તમામ 56 RRના હતા

ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે.

JK: માછિલમાં હિમસ્ખલનથી ત્રણ જવાન શહીદ, તમામ 56 RRના હતા
Jammu Kashmir
Follow Us:
| Updated on: Nov 18, 2022 | 9:36 PM

ભારતીય સેનાના ત્રણ જવાન હિમસ્ખલનમાં ફસવાને કારણે શહીદ થયા છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે. જવાનો ફરજ દરમિયાન શહીદ થયા હતા. શહીદ જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના જણાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોના મૃતદેહોને ડ્રગમુલ્લા સ્થિત સૈન્ય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ ત્રણેય જવાનોની પોસ્ટિંગ માછિલ સેક્ટરની અલ્મોડા પોસ્ટ પર હતી, ત્યારે તેઓ હિમસ્ખલનનો ભોગ બન્યા હતા. પોલીસે કહ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સેનાના 3 જવાન શહીદ થયા છે. પોલીસે પુષ્ટિ કરી કે ત્રણેય જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાન ફરજ પર હતા ત્યારે તેઓ હિમસ્ખલનમાં ફસાઈ ગયા હતા. હિમસ્ખલનને કારણે જવાનો તેની નીચે દબાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. ઘટના ઉત્તર કાશ્મીરના કુપવાડાની છે.

શિયાળામાં વધી જાય છે હિમસ્ખલનનું જોખમ

શિયાળામાં આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવે છે. હિમવર્ષાને કારણે હિમસ્ખલનનું જોખમ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં સેનાના જવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હિમવર્ષા દરમિયાન સુરક્ષાનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડે છે અને સૈનિકોએ સતર્ક રહેવું પડે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલન થાય છે. જાન્યુઆરી મહિના દરમિયાન, હિમવર્ષા થાય છે અને હિમસ્ખલનનો ભય વધુ રહે છે. આવી જ એક ઘટનામાં જાન્યુઆરી 2020માં માછિલ સેક્ટરમાં જ સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અરુણાચલ પ્રદેશમાં શહીદ થયા હતા સાત જવાનો

રિપોર્ટ મુજબ અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. આ ઘટના આ વર્ષના ફેબ્રુઆરી મહિનાની છે, જ્યારે સેનાના સાત જવાન શહીદ થયા હતા. રિપોર્ટ મુજબ હિમસ્ખલનમાં માર્યા ગયેલા જવાનોની ઓળખ હવાલદાર જુગલ કિશોર, રાઈફલમેન અરુણ કટ્ટલ, રાઈફલમેન અક્ષય પઠાનિયા, રાઈફલમેન વિશાલ શર્મા, રાઈફલમેન રાકેશ સિંહ, રાઈફલમેન અંકેશ ભારદ્વાજ અને જનરલ ગુરબાજ સિંહ તરીકે થઈ હતી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">