IRCTCએ 7મેથી તત્કાલ બુકિંગના નિયમોમાં સરકાર દ્વારા બદલાવ કરી દેવાયા છે અને આ નિર્ણય મુસાફરોની અગવડતાને લઈને લેવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં જ્યારે પણ ટિકીટ બુક કરવાની હોય ત્યારે લોકો તત્કાલ સેવાનો લાભ લેતા હોય છે અને કાઉન્ટર પર વહેલાં આવે તેને પ્રથમ ટિકીટ મળે તેવું આયોજન કરાયું છે. 7મેના રોજથી રેલવે દ્વારા નવા નિયમોમાં એક ફેરફાર કરી દેવાયો છે જેમાં દેશના 19 સ્ટેશન પર સવારે 11 વાગ્યાને બદલે હવે 11.30 વાગ્યે ટિકીટ મળશે. પહેલાં 11 વાગ્યે ટિકીટ અપાતી હતી.
એજન્ટોના ત્રાસના કારણે આ ફેરફાર કરાયો છે અને લોકોને તત્કાલ ટિકીટ મળી રહે તેવો ઉદ્દેશ્ય છે. નવા નિયમથી 10થી 12 વાગ્યા સુધીના સમયમાં વેબસાઈટ પરથી એજન્ટો ટિકીટ કાપી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે તત્કાલ કોટામાં આપવામાં આવતી ટિકીટને કેન્સલ કરી શકાતી નથી. પહેલાં એજન્ટો પોતાની મનમાની ટિકીટ ખરીદીને તેના મોટાભાવો મુસાફરો પાસેથી વસૂલતાં હતા જેને લઈને હવે લગામ લગાવી શકાશે. રેલવેએ કહ્યું કે નાના સ્ટેશનો પર સુરક્ષાનો પુરતો સ્ટાફ ન હોવાથી ટિકીટને લઈને મારામારીના બનાવો પણ બનતા હતા અને તેના લીધે મુસાફરોને પણ તકલીફ પડતી હતી.
શ્રીકૃષ્ણનગર, બાબતપુર, અંતુ, ગોસાઈગંજ, માલિપુર, જાફરાબાદ, આચાર્ય નારાયણ દેવનગર, જલાલગંજ, ખેતા સરાય, મરિયાહુ, શિવપુર, બાદશાહપુર, સેવાપુરી, જૌનપુર સિટી, મુસાફિર ખાના, લંભુઆ, ફૂલપુર, કુંડા હરનામગંજ અને કાનપુર બ્રિજનો સમાવેશ થાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]