ભારતીય વાયુસેનાનું એક વિમાન અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થઈ ગયું છે. વિમાન જ્યારથી ઉડ્યું ત્યારથી જ તેનો સંપર્ક એરબેસની સાથે તૂટી ગયો હતો. આ વિમાને અસમ ખાતે આવેલાં જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી.
આ પણ વાંચો: Income Tax Return 2019-20: 31 જુલાઈ સુધી ભરવાનું રહેશે ITR, તારીખ ચૂકી જશો તો આટલો ચાર્જ ચૂકવવો પડશે
ભારતીય વાયુસેનાનું વિમાન એન-32 લગભગ સવા 12 વાગ્યાથી ગુમ થઈ ગયું છે. આ વિમાનના કુલ 13 લોકો સવાર હતા. જેમાં 8 ક્રુ મેમ્બર અને 5 યાત્રીઓ પણ હતા. આ વિમાને જોરહાટ એરબેસથી બપોરના 12.25 વાગ્યે ટેકઓફ કર્યું હતું. છેલ્લે આ વિમાને એરબેસ સાથે 1 વાગ્યે સંપર્ક કર્યો હતો અને બાદમાં તેની કોઈ જ ભાળ મળી શકી નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારતીય વાયુસેના આ વિમાનને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ વિમાનની શોધખોળ કરવા માટે સુખોઈ 30 અને સી-130 એરક્રાફ્ટની મદદ લેવામાં આવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]