શિવસેના, કોંગ્રેસ અને NCPની સરકારને લઈ ચાલી રહેલી ચર્ચાની વચ્ચે શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપ્યા પછી તેમને કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનવા જઈ રહી છે. વિરોધી વિચારધારાના પ્રશ્ન પર સાવંતે કહ્યું કે જ્યારે કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમારની સાથે સરકાર બનાવી તો ત્યાં કઈ વિચારધારા હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજીનામું આપ્યા પછી દિલ્હીમાં અરવિંદ સાવંતે પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અને શિવસેના પ્રમુખની વચ્ચે 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી. જેમાં મુખ્યપ્રધાન પદ પણ સામેલ હતું. ત્યારે ભાજપે આ વાતને નકારી જેનાથી ઠાકરે પરિવારને ઠેસ પહોંચી.
તેનાથી સ્થિતી ખરાબ થઈ અને અમારૂ ગઠબંધન રહ્યું નહીં. અરવિંદ સાવંતે કહ્યું કે તેવા માહોલમાં હું કેબિનેટમાં રહુ, તે યોગ્ય નથી. તેથી મેં ત્યાગપત્ર વડાપ્રધાનને આપ્યું છે. NDAથી શિવસેનાની બહાર થવા પર સાવંતે કહ્યું કે મારા ત્યાગપત્રનો મતલબ સમજી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો