સારી વાત એ હતી કે લગભગ 11.5 લાખ લોકોને સુરક્ષિત બચાવી શકયા હતા. કારણ કે ISROના ઉપગ્રહોએ પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. આ ઉપગ્રહો દરેક 15 મિનિટમાં ગ્રાઉન્ડ સ્ટેશનને નવી જાણકારી આપી રહ્યાં હતા.
ISROની ચેતવણી અને પૂર્વાનુમાનના કારણે ઓડિશાના લગભગ 10 હજાર ગામડાઓ અને 52 શહેરી વિસ્તારોમાં લોકોને સુરક્ષિત બચાવી શકયા. ISROના આ કામ માટે 5 સેટેલાઈટ તૈનાત કરવામાં આવ્યા હતા.
ISROની Insat-3D,Insat-3DR,Scatsat-1,Ocwansat-2 અને મેઘા ટ્રોપિક્સ ઉપગ્રહોએ સતત ઓડિશા પર નજર રાખી હતી. આ ઉપગ્રહોએ સમય પર વાવાઝોડાની જાણકારી ન આપી હોય તો સ્થિતી વધારે બગડી શકતી હતી.
લગભગ 7 દિવસ પહેલાથી જ હવામાન વૈજ્ઞાનિકોએ દક્ષિણ હિન્દ મહાસાગરમાં દબાણને લીધે વાવાઝોડુ આવવાની જાણકારી આપી હતી. ISROના 5 ઉપગ્રહ સતત તેની પર નજર રાખી રહ્યા હતા. દર 15 મિનિટે ગ્રાઉન્ડ સ્ટેશનને નવી જાણકારી આપી રહ્યાં હતા. સુરક્ષિત સ્થળોની જાણકારી મળતા લોકોને પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર કાઢવાની મદદ મળી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]