Manipur Violence: રાજીનામું આપવાનું મન બનાવી લીધા પછી સીએમ બિરેન સિંહનો વિચાર કેવી રીતે બદલાયો?, કહ્યું- બધુ પૂર્વ આયજિત

Manipur: સીએમ બિરેન સરમાએ રાજીનામાને લઈને અગાઉ કહ્યું હતુ કે તેઓ મણિપુરના લોકો માટે કામ કરતા રહેશે. જનતા કહી રહી છે તો હું રાજીનામું આપી દઈશ. મુખ્યમંત્રી બિરેન સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મને લાગી રહ્યું છે કે કદાચ મેં લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે.

Manipur Violence: રાજીનામું આપવાનું મન બનાવી લીધા પછી સીએમ બિરેન સિંહનો વિચાર કેવી રીતે બદલાયો?, કહ્યું- બધુ પૂર્વ આયજિત
CM Biren Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:41 AM

Manipur Violence: મણિપુર હિંસાને લઈને રાજ્યના સીએમ સહિત કેન્દ્ર સરકાર સતત શાંતિના પગલા લઈ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ તો મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે મુખ્યમંત્રી એન.બિરેન સિંહે શનિવારે એક મોટો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું કેમ ન આપ્યું જો કે તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે રાજીનામું આપવાનું મન બનાવી લીધુ હતું પરંતુ પછી તેમણે પોતાનો નિર્ણય બદલવો પડ્યો.

સીએમ બિરેન સરમાએ રાજીનામાને લઈને અગાઉ કહ્યું હતુ કે તેઓ મણિપુરના લોકો માટે કામ કરતા રહેશે. જનતા કહી રહી છે તો હું રાજીનામું આપી દઈશ. મુખ્યમંત્રી બિરેન સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મને લાગી રહ્યું છે કે કદાચ મેં લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. પરંતુ જ્યારે હું મુખ્યમંત્રી આવાસની બહાર આવ્યો ત્યારે મેં જોયું કે ગેટની બહાર ભારે ભીડ હતી. કદાચ તેમને ખબર પડી ગઈ હતી કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ દરમિયાન તેમણે મને સપોર્ટ કર્યો. મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પછી મને લાગ્યું કે કદાચ હું ખોટો હતો. લોકોનો પ્રેમ હજુ પણ મારી સાથે છે અને તે બાદ રાજીનામાનો વિચાર માંડી વાળ્યો.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

જનતા કહેશે તો હું રાજીનામું આપી દઈશ-CM બિરેન સિંહ

રાજ્યના મુખ્યમંત્રી સીએમ બિરેન સિંહ સરમાંએ કહ્યું કે મારા સમર્થનમાં ઉભા રહેલા તમામ લોકોએ એક અવાજમાં કહ્યું કે તમારે રાજીનામું ન આપવું જોઈએ. તે પછી મેં મારો વિચાર બદલી નાખ્યો અને રાજીનામું આપ્યું નહીં. સીએમ સિંહે કહ્યું કે જનતાના વિશ્વાસ વગર કોઈ પણ નેતા નેતા બની નથી શકતો. જનતા રાજીનામું આપવાનું કહેશે તો હું ચોક્કસથી રાજીનામુ આપીશ. જો તેઓ મને આમ ન કરવાનું કહેશે તો હું રાજીનામું પાછું પણ લઈ શકુ છું.

આ કારણે લીધો હતો રાજીનામાનો નિર્ણય

બિરેન સિંહે મણિપુરમાં થઈ રહેલી હિંસાને જોતા તેમણે કહ્યું કે મેં મણિપુરમાં કેટલીક જગ્યાએ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પૂતળા સળગતા જોયા છે. ભાજપ કાર્યાલય પર હુમલો થતો જોયો. મને શંકા છે કે શું આપણે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યારે આ વિશે વિચારીને મને ખુબ ખરાબ લાગ્યું. મારી સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું પરંતુ લોકોનો પ્રેમ જોઈને મેં મારો નિર્ણય બદલી નાખવો પડ્યો.

મને લાગે છે કે તે બધુ જ પૂર્વ આયોજિત છે’

સિંહે કહ્યું કે હિંસા અંગેની વાત કરતા તે પણ જણાવ્યું હતુ કે આ સમગ્ર મામલા પાછળ બહારી શક્તિઓનો હાથ હોઈ શકે છે. મને લાગે છે કે આ પૂર્વ આયોજિત છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 3 મેથી હિંસા ચાલી રહી છે. 100 થી વધુ લોકોના મોત થયા છે. હિંસાને કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">