Ayodhya Holi 2024 : વર્ષોની રાહ પૂરી થઈ…! રામલલ્લાએ ભવ્ય મંદિરમાં હોળી રમી ! અયોધ્યામાં ઉત્સવનો માહોલ

|

Mar 25, 2024 | 2:17 PM

Ayodhya Holi 2024 : રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, રામ મંદિરમાં 495 વર્ષ બાદ હોળી રમવામાં આવી હતી. આ ખાસ પ્રસંગના સાક્ષી બનવા માટે દેશભરમાંથી લોકો એકઠા થયા હતા. હોળી પર રામલલ્લાના વિશિષ્ટ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. 56 પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી.

Ayodhya Holi 2024 : વર્ષોની રાહ પૂરી થઈ...! રામલલ્લાએ ભવ્ય મંદિરમાં હોળી રમી ! અયોધ્યામાં ઉત્સવનો માહોલ
Ayodhya ram mandir holi 2024

Follow us on

ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરા અને વૃંદાવનની હોળી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. તેમાં ભાગ લેવા માટે લાખો ભક્તો મથુરા-વૃંદાવન પહોંચે છે. પરંતુ આ વર્ષે ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં હોળીના તહેવારને લઈને સ્થિતિ એવી જ છે. નોંધનીય છે કે રામલલ્લા અયોધ્યામાં અભિષેક કર્યા બાદ તેમની પ્રથમ હોળી ઉજવી રહ્યા છે. તેમની મોહક મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવી છે. કપાળ પર ગુલાલ લગાવવામાં આવ્યો છે. ગુલાબી વસ્ત્ર પહેરેલી રામલલ્લાની મૂર્તિ આકર્ષક દેખાય રહી છે.

રામ નગરી રંગોથી રંગાઈ

શ્રૃંગાર આરતી બાદ રામલલ્લાને અબીલ અને ગુલાલ ચઢાવવામાં આવ્યા હતા. રામલલાના દરબારમાં પૂજારીઓએ રામલલ્લા પર ફૂલોની વર્ષા કરી અને તેમની મૂર્તિઓ સાથે હોળી રમી હતી. અબીલ ગુલાલ તેમને તેમના રાગ ભોગ અને શણગારના ભાગરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. 56 પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી.

તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો

પૂજારીએ રામલલ્લા માટે હોળીના ગીતો પણ ગાયા હતા. રામજન્મભૂમિ પરિસરમાં રામલલ્લાના દર્શન કરવા આવેલા એ જ ભક્તો પણ હોળીના ગીતો પર નાચતા, ઝૂમતા અને ગાતા જોવા મળ્યા હતા. તેવી જ રીતે સમગ્ર રામનગરીમાં હોળીનો આનંદ છવાયો છે.

495 વર્ષ પછી અદ્ભુત હોળી

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે રામ મંદિરમાં 495 વર્ષ બાદ હોળી રમવામાં આવી હતી. આ ખાસ પ્રસંગના સાક્ષી બનવા માટે દેશભરમાંથી લોકો એકઠા થયા હતા. હોળી પર રાલાલાના વિશિષ્ટ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. 56 પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી. અયોધ્યામાં હોળીની ઉજવણી રંગભરી એકાદશીથી શરૂ થઈ ગઈ છે.

અહીં દરરોજ અબીલ-ગુલાલ ઉડતા હોય છે. ધાર્મિક ગીતો અને સંગીતના કાર્યક્રમો થાય છે. રામલલ્લા માટે ફાગ ગીતો ગાવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રામલલ્લાને દરરોજ રંગબેરંગી વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવે છે. રામલલ્લા માટે પ્રસાદ પણ બનાવવામાં આવી રહ્યો છે.

 

Published On - 2:16 pm, Mon, 25 March 24

Next Article