કોરોના વાયરસ અને લોકડાઉન બાદ દેશભરમાં અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. તમામ રાજ્યો આર્થિક પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવા અને રોજગારની તકો ઉભી કરવા માટે ધીમે ધીમે નવા પરિમાણો શોધી રહ્યા છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશ સરકાર આર્થિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક અનોખી રીત લઈને સામે આવી છે. રાજ્યમાં ગાંજાના વાવેતરને આગામી કેટલાક દિવસોમાં કાયદેસર કરી શકાય એમ છે. જો સરકાર ગાંજાની નિયંત્રિત ખેતીને કાયદેસર બનાવે છે, તો રાજ્ય દર વર્ષે લગભગ 18 હજાર કરોડની આવક કરી શકશે.
નોંધપાત્ર વાત એ છે કે કોવિડ -19 રોગચાળા પછી હિમાચલ પ્રદેશનું અર્થતંત્ર ખરાબ રીતે બગડ્યું છે. રાજ્ય સરકારમાં દેવાનો બોજ આ દિવસોમાં વધી રહ્યો છે. કોરોના વાયરસને કારણે રાજ્ય સરકારમાં હવે 2020 માં 60 હજાર કરોડ રૂપિયાથી વધુનનું દેવું વધી જવાના કારણે રાજ્ય સરકાર હવે કમાણીના નવા પેંતરા શોધી રહી છે. તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન સીએમ જયરામ ઠાકુરે સંકેત આપ્યો હતો કે રાજ્યમાં ગાંજાની નિયંત્રિત વાવણી દ્વારા રાજ્યની આવક વધારી શકાય એમ છે.
એનડીપીએસ એક્ટનો સંદર્ભ
ગૃહમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ઉત્પન્ન થતો ગાંજો ઉચ્ચ ગુણવત્તાનો છે અને તેની ઘણી માંગ પણ છે. આની નિયંત્રિત ખેતી કરી શકાય એમ છે. તેમણે કહ્યું કે એનડીપીએસ એક્ટ 1985 માં ગાંજાની ખેતી, તેના ઉત્પાદન અને જાળવણી માટેની જોગવાઈઓ આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ પહેલાં, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશે પણ ગાંજાના વાવેતરને અર્થતંત્રને વેગ આપવાના ઈરાદાથી કાયદેસર માન્યતા આપી છે. ઉત્તરાખંડએ 2017 માં ગાંજાની ખેતીને કાયદેસર જાહેર કરી હતી, જ્યારે મધ્યપ્રદેશએ ત્યારબાદ તેને કાયદેસર ઠેરવી હતી.
2400 એકર જમીનમાં ખેતી
એક માહિતી મુજબ હાલમાં હિમાચલ પ્રદેશમાં 2400 એકર જમીનમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી છે. અહીંથી આશરે એક હજાર કરોડ રૂપિયાની દાણચોરી દ્વારા તેને અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. અહીના શિમલા, ચંબા અને સિરમૌરમાં મળી આવતા ગાંજાનું રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. કેટલાક ધારાસભ્યોનું કહેવું છે કે જો ગાંજાની ખેતીને કાયદેસર બનાવવામાં આવે તો તે રાજ્યમાં 50 હજાર નવા રોજગાર પેદા કરશે.
આ પણ વાંચો: દિલ્હીના LG ને અધિકારો આપતું બિલ રાજ્યસભામાંથી પસાર થતા કેજરીવાલનો આક્રંદ, કહી આ વાત
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પત્રોનો ખેલ: અનિલ દેશમુખે સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ