મહારાષ્ટ્રમાં પત્રોનો ખેલ: અનિલ દેશમુખે સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

પરમબીરસિંહના લેટર બોમ્બ બાદ હવે અનિલ દેશમુખે પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાના પર લાગેલા આરોપ અંગે પોતાની તપાસની માંગ કરી છે.

મહારાષ્ટ્રમાં પત્રોનો ખેલ: અનિલ દેશમુખે સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ
મહારાષ્ટ્રમાં પત્રોનો ખેલ
Follow Us:
| Updated on: Mar 25, 2021 | 9:40 AM

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પોતાના પર લાગેલા આક્ષેપોને લઈને હવે આગળ આવ્યા છે. દેશમુખે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને પોતાની તપાસની માંગ કરી છે. પરમબીરસિંહ દ્વારા લખેલા પત્રમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ અંગે અનિલ દેશમુખે આ પત્ર લખ્યો છે. આ ઉપરાંત તપાસ અંગેનો આ પત્ર તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. અનિલ દેશમુખે મરાઠીમાં ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘મેં મુખ્ય પ્રધાન પાસે માંગ કરી છે કે તેઓએ પરમબીરસિંહે મારા ઉપર લગાવેલા આરોપોની તપાસ કરવી જોઈએ જેથી સત્ય બહાર આવે.’ તેમણે કહ્યું કે “જો મુખ્યમંત્રી તપાસના આદેશ આપે તો હું તેનું સ્વાગત કરીશ. સત્યમેવ જયતે.”

અનિલ દેશમુખ પર 100 કરોડની ઉઘરાણીનો ટાર્ગેટ આપવાનો આરોપ

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને અનિલ દેશમુખ ઉપર ગેરવસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે “દેશમુખે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને મહિનામાં 100 કરોડની વસૂલાત કરવાનોનો લક્ષ્યાંક આપ્યો છે.” તેમના આ આક્ષેપો બાદ ઘણો વિવાદ ફાટી નીકળ્યો હતો અને વિરોધી પક્ષે આક્રમણ સવાલો કર્યા હતા. વિરોધ પક્ષ દ્વારા અનિલ દેશમુખના રાજીનામાની માંગ થઇ રહી રહ્યું છે. આટલું જ નહીં બુધવારે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને પણ મળ્યું હતું અને રાજ્યની પરિસ્થિતિનો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલવાની માંગ કરી હતી.

રાજ્યપાલને કેસોમાં દખલ દેવા માટેની અપીલ

શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર પર પ્રહાર કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ સરકારને સત્તામાં બન્યા રહેવાનો કોઈ અધિકાર નથી. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને મળ્યા બાદ કહ્યું હતું કે, ‘અમે રાજ્યપાલને કોરોના વાયરસ સંકટ અને અન્ય મુદ્દાઓ અંગેના અહેવાલ માટે મુખ્ય પ્રધાનને બોલાવવા વિનંતી કરી છે. અમે તેમને ભ્રષ્ટાચારના કેસોમાં પણ તેમના દ્વારા દખલ કરવા માટેની અપીલ કરી છે. તેમજ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે તેઓ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થાય. આ અગાઉ મંગળવારે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા અને ગૃહ સચિવને મળ્યા હતા. તેમજ રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત રેકેટ વિશે માહિતી આપી હતી.

સુપ્રીમે કહ્યું આરોપો ગંભીર

પરમબીરસિંહે પણ લેટર બોમ્બ બાદ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમે તેમની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવતી વખતે સુપ્રીમે તેમને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. આ સાથે જ તેમની અરજી વિશે સુપ્રીમે કહ્યું હતું કે અરજીમાં લગાવેલા આરોપો અત્યંત ગંભીર છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહની અરજી ફગાવી, કહ્યું – તમે પહેલા હાઈકોર્ટમાં કેમ ના ગયા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">