AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજસ્થાનના હનુમાનગઢમાં એરફોર્સનું MiG-21 પ્લેન ક્રેશ, 4 ગ્રામજનોના મોત, બંને પાયલોટ સુરક્ષિત

રાજસ્થાનના હનુમાનગઢના બહલોલ નગરમાં MiG-21 ક્રેશ થયું છે. જોકે મિગ 21માં સવાર બંને પાઈલટ સુરક્ષિત છે. જ્યારે અકસ્માતમાં ચાર ગ્રામજનોના મોત થયા છે.

Breaking News: રાજસ્થાનના હનુમાનગઢમાં એરફોર્સનું MiG-21 પ્લેન ક્રેશ, 4 ગ્રામજનોના મોત, બંને પાયલોટ સુરક્ષિત
MiG-21 crash in Hanumangarh Rajasthan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 12:02 PM
Share

રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ક્રેશ થયું છે. આ અકસ્માત બહલોલનગર નગરમાં થયો હતો. જોકે, આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટે સમયસર મિગ-21માંથી છલાંગ લગાવી દીધી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં 4 ગ્રામજનોના મોતના સમાચાર છે.

આ અકસ્માત આજે સવારે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એરફોર્સનું આ વિમાન સુરતગઢથી આવી રહ્યું હતું. પ્લેનમાં બેઠેલા પાયલોટને લાગવા માંડ્યું કે પ્લેન અકસ્માતનો શિકાર બનશે, તેથી તેઓ પેરાશૂટની મદદથી પ્લેનમાંથી બહાર નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ બંને પાઈલટને કોઈ નુકસાન થયું નથી.

કેવી રીતે થયો અકસ્માત? એરફોર્સ તપાસ કરશે

ભારતીય વાયુસેના દ્વારા આ અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે. ટ્વીટ કરતી વખતે, વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય વાયુસેનાના મિગ 21 વિમાને સોમવારે સવારે સુરતગઢથી નિયમિત ઉડાન ભરી હતી. તે પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઈજા થઈ છે. સેનાએ અકસ્માતની તપાસ માટે એક ટીમ બનાવી છે.

ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા

આ અકસ્માતમાં મિગ-21 સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. આ સાથે જ ઘટનાસ્થળે ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ છે. વિમાનના કાટમાળમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળી રહ્યો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છે. એસપી સુધીર ચૌધરીએ કહ્યું છે કે બહલોલનગર જિલ્લામાં પ્લેન ક્રેશને કારણે 4 લોકોના મોત થયા છે. ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને ગામલોકોના ઘર પર પડ્યું હતું. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">